રક્તદાન શિબિર કાર્યક્રમ

 

રક્તદાન માટે  શું કરવું જોઈએ  ?  
– રક્ત  એ જીવનરક્ષક  દવા ( Life saving drug  )  છે જે કોઈ ફેક્ટરી માં નથી  બનતું , પરંતુ માનવ  શરીર  જ એની ફેક્ટરી છે .
– રક્ત ની જરૂરિયાત અને પુરવઠા ( Demand and supply ) વચ્ચે મોટો તફાવત છે . રક્ત ની સતત અછત વર્તાતી હોય છે .
– અકસ્માત , કેન્સર , પ્રસુતિ ,વિવિધ પ્રકાર ના ઓપરેશનો તથા થૅલેસેમિયા જેવા જન્મજાત ઉણપ ધરાવતા રોગ માટે રક્ત એ એક આવશ્યક અને  જીવનદાન આપનારું બની શકે છે .
– થેલેસેમિયા  ના દર્દીઓને  આજીવન રક્તના સહારે જ જીવન જીવવું પડે છે. કારણ કે તેમના રક્તકર્ણો ખામીયુકત હોવાથી શરીર તરત જ નાશ પામે છે .
– વિવિધ પ્રકાર ના કેન્સર માં તથા તેની માટેની કેમોથેરેપી ની આડ અસર માં પણ રક્ત વગર દર્દી ની સારવાર શક્ય નથી .

રક્તદાન કોણ કરી શકે?
– ૧૮ થી ૬૫ વર્ષ ની ઉમર ની તદુંરસ્ત વ્યકતિ.
– ઓછામાં ઓછું ૪૫ કિલો વજન ધરાવતીવ્યકતિ.
– હિમોગ્લોબીન ૧૨.૫ ગ્રામ ટકા થી વધુ હોય તે .

આ ઉપરાંત દરેક રક્તદાતા ની મેડિકલ તપાસ અને તેને લગતા પ્રશ્નોત્તર દરેક બલ્ડબૅંક માં કરવામાં  આવતી હોય અને જે રક્તદાતા ફિટ હોય તેનું જ રક્તદાન સ્વીકારવામાં આવે છે .

સૌથી સલામત, સુરક્ષિત  રક્તદાન એ નિયમિત સ્વૈચ્છીક રક્તદાતાઓ દ્વારા કરવામાં આવતું રક્તદાન છે .

દરેક રક્તદાતા ના એચ આઈ વી  ( HIV )  હેપેટાઇટિસ – બી ( Hepatitis B ) , હેપેટાઇટિસ સી  ( Hepatitis C ) , ગુપ્તરોગ તથા મલેરિયા વગેરે ટેસ્ટ બલડબેક માં કરવામાં આવે છે .

દરેક જાગૃત નાગરિકે દર ત્રણ મહિને , ચાર મહીને કે છ મહિને  જે પણ સમયાંતર અનુકૂળ હોય તે પ્રમાણે સ્વૈચ્છીક રક્તદાન કરવું જોઈએ અને તે સૌથી મોટી સામાજિક સેવા બની રહેશે .

બ્લડ બેંક નો રોલ શુ છે?
બ્લડ બેંક એ રક્તદાતા અને દર્દી વચ્ચેનો સેતુ છે.બ્લડ બેંક ની કામગીરી ખુબજ મહત્વની અને જવાબદારી પૂર્ણ છે.બ્લડબેન્ક બંને તરફની,રક્તદાતા અને દર્દી તરફે જવાબદારી પુરી પાડવાની છે.
એક તરફ,રક્તદાતાની ચોક્કસાઈપૂર્વક ની પસંદગી,પછી તેમનું કાળજીપૂર્વક રક્તદાન સ્વીકારવું ,રક્તનું વિવિધ ઘટકોમાં વિભાજન કરવું તેના નિર્ધારીત તાપમાને વિવિધ ઘટકોનો સંગ્રહ કરવો,રક્તમાં HIV, હિપેટાટીસ બી,હિપેટાટીસ સી,સીફીલીસ તથા મેલેરીયા ની

કોઈ અસર નથી તે ખાત્રી કરવી એ બ્લડ બેંક ની જવાબદારી છે.
બીજી તરફ,જરૂરિયાતમંદ  દર્દીને રક્ત કે તેના ઘટકની જરૂર પડે ત્યારે તેને ક્રોસ-મૅચિંગ કરીને દર્દી ને માફક આવે  તે રક્ત કે ઘટક પૂરું પડવું એ બ્લડબેન્કની જવાબદારી છે.

– રક્તદાન અંગે કેટલાક પ્રશ્નો તથા તેના જવાબ

પ્રશ્ન: રક્તદાનની જરૂર ક્યારે પડે છે?
જવાબ: અકસ્માત સમયે,કુદરતી આફત સમયે,કેન્સર,ઓપરેસન સમયે,પ્રસુતિ સમયે તથા માતાના મૃત્યુદરને અટકાવવા , થેલેસેમિયા, કીમોફીલિયા, સિકલસેલ વગેરેના દર્દીઓને લાબું આયુષ્ય મળે તે માટે.

પ્રશ્ન: કોઈ એક વ્યક્તિ કેટલી માત્રામાં રક્તદાન કરી શકે?
જવાબ: ૪૫ થી ૫૫ કી.ગ્રા વજન ધરાવતી વ્યક્તિ ૩૫૦મી.લી રક્તદાન ૫૫થી વધુ કી.ગ્રા વજન ધરાવતી વ્યક્તિ ૪૫૦મી.લી રક્તદાનકરી શકે .

પ્રશ્ન: શું રક્તદાન કર્યાબાદ સાત્વિક ખોરાક,કોઈ દવા કે આરામની આવશ્યકતા છે?
જવાબ: રોજિંદા ખોરાક પૂરતો છે.રક્તદાનના અડધા કલાક બાદ રોજીંદા કાર્ય કરી શકાય.તે દિવસ પૂરતું વધુ વજન ઉંચકવું નહિ કે ઉંચાઈ પર કામ કરવું નહિ.

પ્રશ્ન: બે રક્તદાન વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ?
જવાબ: ૧૮ થી ૬૫ વર્ષની ઉમ્મર દરમિયાન કોઈ પણ વ્યક્તિ ત્રણ મહિનાનો સમયગાળો રાખીને ૧૮૮ વાર રક્તદાન કરી શકે.

પ્રશ્ન: રક્તદાન કરેલ રક્ત કેટલા સમયમાં શરીરમાં ફરી જમા થઈ જાય છે?
જવાબ: રક્તનો પ્રવાહી ભાગ બે દિવસમાં અને કોષો ૨૧દિવસમાં શરીરમાં ફરીથી ઉત્પન્ન થઈ જાય છે.

પ્રશ્ન: આપણા શરીરમાં કેટલું રક્ત હોય છે?
જવાબ: શરીરને બ-દરેક પુરુષમાં  શરીરના વજનના કિલો દીઠ ૭૬ મી.લી અને સ્ત્રીઓમાં કિલો દીઠ ૬૬મી.લી રક્ત હોય છે.તેમાંથી
તેના કાર્ય માટે ફક્ત ૫૦મીલી /કિગ્રા ની જરૂર હોય છે.સ્ત્રીઓમાં 16 મિલી  તથા પુરુષોમાં ૨૬ મિલી પ્રતિ કિલો લોહી જરૂરિયાત  કરતા વધારે હોય છે.

રક્ત અને તેના ઘટકની માહિતી

ઘટક    ક્યાં તાપમાને સંગ્રહ કરાય    કેટલો સમય સંગ્રહ થઈ શકે.
રક્તકણ             ૨ થી ૬                 ૪૨ દિવસ
પ્લેટલેટ્સ             ૨૨                     ૫   દિવસ
પ્લાઝમા( FFP )    ૪૦                     ૧    વર્ષ
ક્રાયોપ્રેસિપિટેટર્સ    ૪૦                    ૧    વર્ષ

તમારું અમૂલ્ય દાન આપવા માટે બાજુમાં આપેલા બટન ઉપર ક્લિક કરો.

આપેલું દાન Income Tax માં 80G અન્વયે બાદ મળવાને પાત્ર છે.

 
 
 

પ્રોમોશનલ જાહેરાતો

તમારા વ્યવસાય કે કોઈ અન્ય જાહેરાતો અમારી વેબસાઈટ પર પ્રદર્શિત કરવા માટે અમારો સંપર્ક કરો.

તમારી એડ અમારી વેબસાઈટ ઉપર પ્રદર્શિત કરવા માટેના ભાવ

1 મહિના માટે ₹500, 6 મહિના માટે ₹1500, 1 વર્ષ માટે ₹3000, 3 વર્ષ માટે ₹5000, 5 વર્ષ માટે ₹7000

પ્રોમોશનલ જાહેરાતો

તમારા વ્યવસાય કે કોઈ અન્ય જાહેરાતો અમારી વેબસાઈટ પર પ્રદર્શિત કરવા માટે અમારો સંપર્ક કરો.

તમારી જાહેરાત અમારી વેબસાઈટ ઉપર પ્રદર્શિત કરવા માટેના ભાવ

 
 
 

1 મહિના માટે ₹500


6 મહિના માટે ₹700


1 વર્ષ માટે ₹1000

 
 

2 વર્ષ માટે ₹1800


3 વર્ષ માટે ₹2500

 
 

તમારી જાહેરાત માટેના ફોટાનું કદ 748*500px નું આપવું.

 
 

જોડાઓ અમારી મેટ્રિમોનિયલ સેવામાં

હમણાં SCVRSમાં જોડાઓ અને તમારા જીવન સાથીને શોધો!