
ક્ષત્રિય ઇતિહાસ
પ્રતિષ્ટિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિહાસકારોએ અનેક પુરાવાઓ દ્વારા પોતાની કલમ ને સત્ય અને નિષ્પક્ષ સાબિત કરી છે. તેમ છતાં આ વિષય આજે પણ અપુર્ણ છે. પ્રતિષ્ટિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિહાસકારોએ અનેક પુરાવાઓ દ્વારા પોતાની કલમ ને સત્ય અને નિષ્પક્ષ સાબિત કરી છે. તેમ છતાં આ વિષય આજે પણ અપુર્ણ છે.
ભારતનો દરેક બુદ્ધીશાળી વર્ગ જાણે છે કે , ભારતના ઈતિહાસને જો ક્ષત્રિયોનો ઈતિહાસ કહેવામાં આવેતો એમાં કોઇ અતિશયોક્તિ નથી. કારણ કે ભારતનો ઈતિહાસ ૯૦ ટકા ક્ષત્રિયો દ્વારા બનાવવામાં આવ્યો છે. જો ઈતિહાસના પાનામાંથી ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવેતો , બાકી બે પુંઠા જ વધે. આમ છતાં પણ ઈતિહાસમાં ક્ષત્રિયોનું સ્થાન નગણ્ય છે.
વૈદિક કાળ , ઉત્તર વૈદિક કાળ , બૌદ્ધ , મૌર્ય , ગુપ્ત અને હર્ષવર્ધનના શાસન સુધી ભારત દેશની રક્ષક જાતિ “ક્ષત્રિય” ના નામથી ઓળખાતી હતી , પરંતું હર્ષવર્ધનના શાસનાકાળ પછી ઈતિહાસમાં એક નાટકિય વળાંક આવે છે અને એક નવું નામ “રાજપૂત” ક્ષત્રિય જાતિ માટે આવે છે. ખરેખર ભારતના મુળનિવાસી ક્ષત્રિયો માટે “રાજપૂત” શબ્દ નહી પણ “રજપૂત” શબ્દ હોવો જોઇએ .કારણકે રાજપૂત શબ્દ પરદેશી આક્રમણકારો લાવેલા છે. પરંતું હર્ષવર્ધનના શાસનકાળ પછી ભારતમાં એકછત્ર રાજ્યનો અભાવ થઈ ગયો. રાજ્યોના અડધા ઉપરના શાસકો રજપૂતો જ હતા. આથી આ યુગને “રજપૂત યુગ” કહેવામાં આવે છે. ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશને જ અહીથી રજપૂત વંશ બનાવી દીધો. અને ક્ષત્રિય વંશને એક નવી જાતિ બનાવી દીધી.
ઈતિહાસકારોએ રાજપૂતોને વિદેશીયોના સંતાન અથવા ક્ષત્રિયોથી અલગ બતાવવાનું સૌથી મોટું કારણ એ બતાવ્યું છે કે , છઠ્ઠી સદી પહેલાં કોઇપણ પ્રાચીન ગ્રંથમાં રાજપૂત શબ્દની ચર્ચા કે પુરાવા મળતા નથી.પરંતું એ પ્રાચીન ગ્રંથોમાં રાજપુત્ર ની ચર્ચા થયેલી જોવા મળેછે.ઈતિહાસકારોએ રાજપુત્ર અને રાજપૂત ને અલગ-અલગ બતાવ્યા છે.રાજાને જો એકથી વધારે સંતાનો હોયતો ,પરંપરા ને અનુસાર સૌથી મોટા પુત્રને જ રાજ્યના ઉતરાધિકારી બનાવવામાં આવતા હતા.તથા તેને રાજા કહેવામાં આવતો હતા.તેમજ અન્ય નાના પુત્રોને રાજપુત્ર કહેવામાં આવતા હતા.પાછળથી આ રાજપુત્રો નાના રજવાડાઓમાં ભાગલા પાડીને રાજા અથવા તો શાસક બની ગયા.અને આમ પાછળથી આજ રાજપુત્ર સમુહવાચક યા જાતિવાચક બની ગયા. રાજપૂત હિન્દી નો શબ્દ છે. અને આ સંસ્કૃત શબ્દ રાજપૂત્રનો અપભ્રંશ છે. પ્રાચીન ગ્રંથોમાં રાજપૂતો માટે રાજપુત્ર, રાજન્ય, બાહુજ વગેરે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.