ક્ષત્રિય ઇતિહાસ

પ્રતિષ્ટિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિહાસકારોએ અનેક પુરાવાઓ દ્વારા પોતાની કલમ ને સત્ય અને નિષ્પક્ષ સાબિત કરી છે. તેમ છતાં આ વિષય આજે પણ અપુર્ણ છે. પ્રતિષ્ટિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિહાસકારોએ અનેક પુરાવાઓ દ્વારા પોતાની કલમ ને સત્ય અને નિષ્પક્ષ સાબિત કરી છે. તેમ છતાં આ વિષય આજે પણ અપુર્ણ છે.

ભારતનો  દરેક બુદ્ધીશાળી વર્ગ જાણે છે કે , ભારતના ઈતિહાસને જો ક્ષત્રિયોનો ઈતિહાસ કહેવામાં આવેતો એમાં કોઇ અતિશયોક્તિ  નથી. કારણ કે ભારતનો ઈતિહાસ ૯૦ ટકા ક્ષત્રિયો દ્વારા  બનાવવામાં આવ્યો છે. જો ઈતિહાસના પાનામાંથી ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવેતો , બાકી બે પુંઠા જ વધે. આમ છતાં પણ ઈતિહાસમાં ક્ષત્રિયોનું સ્થાન નગણ્ય છે. 

વૈદિક કાળ , ઉત્તર વૈદિક કાળ , બૌદ્ધ , મૌર્ય , ગુપ્ત અને  હર્ષવર્ધનના શાસન સુધી ભારત દેશની રક્ષક જાતિ  “ક્ષત્રિય” ના નામથી ઓળખાતી હતી , પરંતું હર્ષવર્ધનના શાસનાકાળ  પછી ઈતિહાસમાં એક નાટકિય વળાંક આવે છે અને એક નવું નામ “રાજપૂત” ક્ષત્રિય જાતિ માટે આવે છે. ખરેખર ભારતના મુળનિવાસી ક્ષત્રિયો માટે “રાજપૂત” શબ્દ નહી પણ “રજપૂત” શબ્દ હોવો જોઇએ .કારણકે રાજપૂત શબ્દ પરદેશી આક્રમણકારો લાવેલા છે. પરંતું હર્ષવર્ધનના શાસનકાળ પછી  ભારતમાં એકછત્ર  રાજ્યનો અભાવ થઈ ગયો. રાજ્યોના અડધા ઉપરના શાસકો રજપૂતો જ હતા. આથી આ યુગને  “રજપૂત યુગ” કહેવામાં આવે છે. ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશને જ અહીથી રજપૂત  વંશ બનાવી દીધો. અને ક્ષત્રિય વંશને એક નવી જાતિ  બનાવી દીધી.

ઈતિહાસકારોએ રાજપૂતોને વિદેશીયોના સંતાન અથવા ક્ષત્રિયોથી અલગ બતાવવાનું સૌથી મોટું કારણ એ બતાવ્યું છે કે , છઠ્ઠી સદી પહેલાં કોઇપણ પ્રાચીન ગ્રંથમાં રાજપૂત શબ્દની ચર્ચા કે પુરાવા મળતા નથી.પરંતું એ પ્રાચીન ગ્રંથોમાં રાજપુત્ર ની ચર્ચા થયેલી જોવા મળેછે.ઈતિહાસકારોએ રાજપુત્ર અને રાજપૂત ને અલગ-અલગ બતાવ્યા છે.રાજાને જો એકથી વધારે સંતાનો હોયતો ,પરંપરા ને અનુસાર સૌથી મોટા પુત્રને જ રાજ્યના ઉતરાધિકારી બનાવવામાં આવતા હતા.તથા તેને રાજા કહેવામાં આવતો હતા.તેમજ અન્ય નાના પુત્રોને રાજપુત્ર કહેવામાં આવતા હતા.પાછળથી આ રાજપુત્રો નાના રજવાડાઓમાં ભાગલા પાડીને રાજા અથવા તો શાસક બની ગયા.અને આમ પાછળથી આજ રાજપુત્ર સમુહવાચક યા જાતિવાચક બની ગયા. રાજપૂત હિન્દી નો શબ્દ છે. અને આ સંસ્કૃત શબ્દ રાજપૂત્રનો અપભ્રંશ છે. પ્રાચીન ગ્રંથોમાં રાજપૂતો માટે રાજપુત્ર, રાજન્ય, બાહુજ વગેરે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


ક્ષત્રિયના મુખ્ય ત્રણ વંશ છે.

સૂર્યવંશ

સૂર્યવંશમાં પ્રથમ ઇક્ષ્વાકુ થયા. જેમની રાજધાની અયોધ્યા નગરી હતી. ઇક્ષ્વાકુ વૈવસ્વત મનુના પુત્ર હતા. પુરાણ આદિ અધ્યયનથી જાણવા મળે છે કે , બ્રહ્માથી મરીચ , મરીચથી કશ્યપ, કશ્યપથી સૂર્ય, સૂર્યથી વૈવસ્વત મનુ થયા. વૈવસ્વત મનુએ  અયોધ્યા નગરી વસાવી અને તેમના સૌથી મોટા પુત્ર ઇક્ષ્વાકુ અયોધ્યા ના પ્રથમ રાજા થયા. આજ ઇક્ષ્વાકુ  રાજાથી સૂર્યવંશની ઉત્પતિ થઈ.

 

સૂર્યવંશ રાજાઓની વંશાવળી આ મુજબ છે.

 

મનુ , ઇક્ષ્વાકુ , વિકુક્ષિ , પરંજય, અનેના , પૃથુ , કૃષદશ્વ , અન્ધ્ર , યુવનાશ્વ , શ્રાવસ્ત , વૃદિશ્વ , કુવલાયાશ્વ , દ્ઢાશ્વ , પ્રમોઢ , હર્યશ્વ , નિકુમ્ભ , સન્હતાશ્વ , કૃશાશ્વ , પ્રસેનજિત , યુવનાશ્વ , માન્દ્યાતા , પુરુકુત્સ , સદસ્યુ , સમ્ભન , અનરણ્ય ,  ત્રસદશ્વ , હર્યશ્વ , વસુમાન , ત્રિધન્વા , ત્રખ્યારૂણિ , સત્યવૃત , હરિશ્ચન્દ્ર  ,  રોહિતાશ્વ , હરિત , ચંચુ , વિજય , રુરુક  ,  વૃક  , વાહુ , સગર ,  અસમંજસ , અંસુમાન  , દિલીપ  , ભગીરથ  , શ્રુત , નાભગ , અમ્બરીષ , સિન્ધુદ્વીપ , અયુત્રાયુ , ઋતુપર્ણ , સર્વકામ , સુદાસ , સોદાસ , અશ્મક , મૂલક , દશરથ ,  એદવિદ ,  વિશ્વસહ  , દિલીપ , રઘુ , અજ , દસરથ , રામચન્દ્ર  , કુશ , અતિથિ , નિષધ , નળ , નભ , પુણ્ડરીક  ,  ક્ષેમધન્ધ , દેવાનીક , પારિયાગ , દલ , બલ , દત્ક , વૃજનામ , શંયાણ , ધ્યુપિતાશ્ન , વિશ્વસહ , હિરણ્યનામ , પુષ્ય  , ધૃવ  , સન્ધિ  , સુદર્શન , અગ્નિવર્ણ , શીર્ઘ્ર ,  મરુ ,  પ્રસુશ્રુત ,  સુસન્ધિ , અમર્ષ , સહસ્વાન ,  વિશ્ષભન ,  બૃહદવલ ,  બ્રહદ્રર્થ  , ઉરુક્ષય , વત્સવ્યૂહ , પ્રતિવ્યોમ , દિવાકર , સહદેવ , વૃહદશ્વ , ભાનુરથ , પ્રતીતીશ્વ , સુપ્રતીક , મરુદેવ , સુનક્ષ , કિન્નણ , અંતરિક્ષ . સુપર્પ્પ ,  અભિત્રજિત  , વૃહદ્રાજ  , ધર્મી  , કૃતંજય ,  રંણજય  ,  સંજય ,  શાક્ય , શુદ્ધોધન , સિદ્ધાર્થ , રાહુલ , પ્રસેનજિત , ક્ષુદ્રક , કુણ્ડક , સુરથ , સમિત્ર .

ઉપરોકત માન મુખ્ય -૨ સૂર્યવંશી રાજાઓના છે. કારણ કે મનુથી રામ સુધી ફકત ચોસઠ રાજાઓના નામો મળ્યા છે.  જો કે આ એક ખુબજ લાંબો સમય છે. જેથી બધાજ રાજાઓના નામો મળવા અસંભવ છે.

દશરથજી ના ચાર પુત્રો શ્રીરામ , લક્ષ્મણ , ભરત  તથા  શત્રુઘ્ન  થયા. આ ચારેય ભાઇઓના બે –બે પુત્રો થયા. શ્રીરામ ના લવ અને કુશ , લક્ષ્મણ ના અંગદ અને ચન્દ્રકેતુ ,ભરત ના તક્ષક અને પંષ્કલ , શત્રુઘ્ન ના સુવાહુ અને બહુશ્રુત થયા. આ વંશમાં આ ઉપરાંત ઘણા બધા રાજાઓના નામ ભાગવત અને પુરાણોમાં  છે. પરંતુ  એ નામો વિસ્તાર થવાના ભયથી છોડી દેવામાં આવ્યા છે.

ચન્દ્રવંશ

 ચન્દ્રવંશીય ક્ષત્રિય બ્રહ્મા ના બીજા પુત્ર અત્રિના સંતાન છે. મહર્ષિ અત્રિ ના ધર્મપત્ની અનસુઈયા ના સૌથી  મોટા પુત્ર સોમ યાની ચન્દ્ર હતા. સોમ ના વંશ હોવાના કારણે સોમવંશ અથવા ચન્દ્રવંશ કહેવાયા.

સોમ અથવા ચન્દ્રનો પુત્ર હતો . જેને પોતાની રાજધાની પ્રતિષ્ઠાનપુર બનાવી .બુધનો પુત્ર પુરુરવા હતો. જેનાથી આયુ, આયુથી નહુષૂ , નહુષૂથી યયાતિ  થયા. યયાતિને  બે પત્નીઓ હતી. એક શર્મિષ્ઠા તથા બીજી દેવયાની જે શુક્રાચાર્યની પુત્રી હતી.રાણી શર્મિષ્ઠાને ત્રણ પુત્ર દહ્લુ (dahlu) પુરુ  તથા અનુ થયા. રાણી દેવયાનીથી યુદુ તથા દુર્વસુ થયા .

ચન્દ્રવંશી નરેશોની નામાવલી આ પ્રકારે છે.

અત્રિ , સોમ યા ચન્દ્ર , બુધ , પુરુરવા , આયુ , પુરુ , જનમેજય , પ્રચિન્વાન , પ્રવીર , મનસયુ , અભયદ , સુધૂ , બહુગત , સંયાતિ , અહંયોતિ , રૌદ્રાશ્ષ , ઋતેપુ , મતનાર , તસુ , એલીન , દુષ્યંત , ભરત , મન્યુ , વૃહખમ , સુહોત્ર , હસ્તી , અજમીઢ , ઋણ , સંવરણ , કુરુ , જન્હૂ , જનમેજય સુરથ , વિદુરથ , સાર્વભૌમ , જયત્સે , આરાધિત , આયુતાયુ , અક્રોધન , દેવાતિથિ , ઋક્ષ , ભીમસેન , દિલીપ , પ્રતીપ , શાંતનુ , વિચિત્રવિર્ય , પાણ્ડુ , યુધિષ્ઠિર , પરિક્ષિત , જનમેજય , શતાનિક , સહસ્માનિક , અશ્વમેઘ , દત , અધિસીશકૃષ , નિચક્ષુ , ઉષ્ણ , ચિત્રરથ , સુચિરથ , વૃષ્ણિભાન , સુષેણ , યુનીથ , રુચ , નૃયક્ષુ , સુખીવલ , પરિપ્લવ , સુનય , મેઘાવી , નૃપુજય , મૃદ , તિગ્મ , વૃહદરથ , વસુદાન , શતીનિક , ઉદયન , વહીનર , દણ્ડપાણિ , નિરામિ , ક્ષેમક .

શાંતનુની પહેલી રાણી ગંગાથી દેવવ્રત ભીષ્મ તથા બીજી રાણી સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય થયા . ચિત્રાંગદથી ધ્રુતરાષ્ટ તથા વિચિત્રવિર્યથી પાણ્ડુ  ઉત્ત્પન્ન થયા , ધૃતરાષ્ટ ના દુર્યોધન વિગેરે  ૧૦૦ પુત્ર તથા પાણ્ડુથી કર્ણ , યુધિષ્ઠિર , અર્જુન , ભીમ , નકુલ , સહદેવ  વિગેર થયા,  યુધિષ્ઠિરની  રાણી દેવિકાથી  યોદ્ધેય , દ્રોપદીથી  પ્રતિવિમ્વ , સુતસોમ  ,  શ્રુતકીર્તિ  , શતાનિક , શ્રુતકર્માનો જન્મ થયો . અર્જુનની રાણી સુભદ્રાથી અભિમન્યુ અને અભિમન્યુથી પરીક્ષિતનો જન્મ થયો.

અગ્નીવંશ

क्षत्रत्किल त्रयत इत्युद्र क्षत्रस्य शब्दों भुवनेषु रुढ:
राज्मेन किं कદ્વિपरीत वृते : प्राणैरुप कोशमलिन सर्वा:

અર્થાત વિશ્વને  આંતરિક અને બાહ્ય અત્યાચારો જેવા કે , શોષણ , ભૂખ , અજ્ઞાન ,  અનૈતિકતા , અનાચાર તથા શત્રુ (દુશ્મન) દ્વારા પહોંચાડવામાં આવેલી જન-ધનના નુકશાનથી બચાવવાવાળો ક્ષત્રિય જ છે. આનાથી અલગ કાર્ય કરવાવાળો ક્ષત્રિય ના હોઈ શકે અને ના તે શાસન કરવા માટે અધિકારો ધરાવી શકે .                                                 

પવાર અથવા પરમાર , ચૌહાણ અથવા  ચાહમાન , ચાલુક્ય અથવા સોલંકી તથા પ્રતિહાર –પઢિયાર આ ચાર વંશો ને ઇતિહાસકારો અગ્નિવંશીય માને છે.  ચન્દ્ર વરદાયીનો મત છે કે જ્યારે પરશુરામે  પૃથ્વીને ૨૧ વાર ક્ષત્રિય શૂન્ય કરી દીધી હતી ત્યારે રાક્ષસોએ ઋષિઓને સતાવવાનું શરુ કરી દીધુ હતું . આવા સમયે વશિષ્ઠ વિગેરે ઋષિયોએ આબુ પર્વત યજ્ઞ કર્યો અને ભગવાનને પ્રાથના કરી કે અમારી રક્ષા માટે એક શક્તિશાળી જાતિ ઉત્ત્પન્ન કરવામાં આવે . આમ થયા પછી આ યજ્ઞમાંથી ચાર અતિ શક્તિશાળી પુરુષો પેદા થયા .જેમણે પોતાના નામોથી ૪ (ચાર) વંશ ચાલુ કર્યા.

કવિ ધનપાલે ‘તિલક મંજરી’માં , ‘અવુલફ  જન્મ આઈને-એ-અકબરીમાં , કવિ યોધરાજે ‘હમ્મીર રાસો’ માં તથા કવિ પદમગુપ્તે ‘નવ સાહસિક ચરિત્ર’ માં આ વિષે પુષ્ઠિ કરી છે.

આ મત માનવાવાળા કહે  છે  કે જ્યાં આ યજ્ઞ થયો હતો  ત્યાં  ‘ક્ષત્રિય  અભિયંત્ર ‘ મઠ   હતો . આથી આ યજ્ઞમાંથી ઉત્તપન્ન થયેલા પુરુષો અગ્નિવંશી ક્ષત્રિયો તરીકે ઓળખાયા. દા.ત. જેવી રીતે મહાભારતમાં વર્ણિત દ્રૌપદી , ધૃષ્ટધુમ  તથા અંગીર ઋષિ વગેરેની  ઉત્પત્તિ પણ અગ્નિકુંડમાંથી થઈ છે.  જયારે દેશમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના પ્રચારકોએ અહિંસાનો પ્રચાર શરુ કર્યો તો તેનો લાભ વિદેશીયોએ ઉઠાવ્યો. હર્ષવર્ધન પછી દેશ નાના નાના રજવાડાઓમાં વિભાજિત થઈ ગયો. ત્યારે વિદેશીયોએ આ રજવાડાઓ ઉપર આક્રમણ કરવાનું શરુ  કર્યું . આથી દેશમાં તબાહી મચી ગઈ . આ સમયે ‘વશિષ્ટ પીઠ ‘ ના કોઇ ઋષિએ ક્ષત્રિયોનો  એક સંઘ બનાયો અને તે સંઘે વિદેશી આક્રમણકારોને ભગાડી દિધા તથા ફરીથી દેશમાં શાંતિની સ્થાપના કરી. ઉપરોકત  ચાર વંશ  કે જે અગ્નિવંશ કહેવાય છે , તે આ સંઘમાં સામેલ થયા.

ભવિષ્ય પુરાણમાં એવુ વર્ણન  આવે છે કે  જે સમયે બૌધ્ધ અને જૈન ધર્મોનો  પુર્ણત: વિકાસ થયો  તે સમયે વૈદિક ધર્મ નષ્ટ થવા લાગ્યો. આથી કાલ્પ- કુબ્જ બ્રાહ્મણોએ વેદવિધિથી અગ્નિ કુણ્ડ તૈયાર કરી ,  વૈદિક મંત્રોથી હવન કુણ્ડ માં  ‘બ્રહ્મ હોમ’ નામનો યજ્ઞ કર્યો હતો અને ઉપરોકત ચારેય  વંશો તેમાંથી દીક્ષિત થયા હતા.


ભિન્ન- ભિન્ન  ઇતિહાસકારોના મતાનુસાર ક્ષત્રિયોના વંશોનું વિવરણ આ પ્રકારે છે.

મહાકવિ કાલ્હણએ ‘રાજ તરંગીણી’માં ક્ષત્રિયોના ૩૬ વંશોની  વિસ્તૃત ચર્ચા કરી છે. ‘પૃથ્વીરાજ રાસો’માં વર્ણન છે કે,


वंश क्षत्रिय गनीजे भारी, च्वार कुली कुल तीन ,
सव सु जात जोनी भग …ए ब्रह्मा अविशेष विसिष्पिए

 

રવિ શશિ જાદવ વંશ , કુકુસ્થ  પરમાર  સદાકર ચાહુવાન ચાલુક્ય , છંદ સિલાર આમીયર દોયમત મકવાન , ગરુજ  ગોહિલ  ગોહિલપુત્ર ચાપોત્કટ પરિહાર , રાવ રાઠૌર શેસજુત દેવશ વંક સૈનવ અગ્નિ , યોતિક પ્રતિહાર દુધિષટ કારટટપાલ  કોરપાલ હંએ , હરિતટ ગૌર કલાવમદ ધન્ય પાલક નિકુમ્ભ વર , રાજપાલ કીવ નીસ કાલ છરક્કે આદિ હૈ વરને વંશ છત્તીસ .

ઉપરોકત પદ્યનુ વિશ્લેષણ કરતાં લખવામાં આવ્યું છે કે , રવિ ,શશિ  અને જાદવ (યાદવ) વંશ નુ તો પુરાણોમાં વર્ણન છે પરંતુ તેમની ૩૬ શાખાઓ છે.

આ સુચિમાં વર્ણિત વંશ શેસજુત , અનંગ , યોતિકા , દુધિષટ , કારટટપાલ , કોરપાલ , હરિતટ , કલાવમદ , ધાન્યપાલ , રાજપાલ આદિ આજકાલ મળતા નથી . આ  કાં તો વિલુપ્ત થઈ ગયા છે. અથવા તો પછી સ્થળ અને વ્યકતિ થી પ્રભાવિત થઈ ને  બીજ અલગ નામોથી ઓળખાય છે.

છતીસ કુળની યાદી મતીરામના અનુસાર નીચે મુજબ છે. 

સૂર્યવંશ
પેલવાર
રાઠોડ
લોહથમ
રઘુવંશી
કછવાહા
સિરમૌર
ગહલૌત
વઘેલ( વાઘેલા)
કરબા
સિરનેત
વૈસ
નિકુમ્ભ
કૌશિક
ચન્દેલ
યદુવંશ
માહિ
ત્રેમર

વનાકર
કાકન
હરિહોવંશ
ગહરવાર
કરમવાર
રૈકવર
ભદૌરીયા
શકરવાર
ગૌર
દાક્ષિત
બગ્વલિયા
વિશ્વેન
ગૌતમ
સેંગર
ઉદવાકિયા
ચૌહાણ
પડિહાર
સુલંકી.

“दस रविसे चन्द्रसे  द्वादस  ऋषि प्रमाण“
”चार हुतासन यज्ञ से यह छतीस कुल जान“


ક્ષત્રિયો ની ઉપાધિયો: યા પદવીયો

ક્ષત્રિયોમાં સૌથી ઉંચુ રાજાઓનું પદ હતું. રાજાને પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવતું હતું. રાજાઓને નરેશ , ભૂપતિ , મહીપ , મહીપતિ , રાજન્ય આદી નામોથી નવાજવામાં આવતા હતા. રાજાઓની પણ અનેક પદવીઓ હતી જેમ કે – રાજાણિરાજ , મહારાજ , મહારાજાધિરાજ , સમ્રાટ , ચક્રવર્તી સમ્રાટ કહેવામાં આવતા હતા.

રાજાઓથી નાના સરદારોને સામંત , જાગીરદાર , જમીનદાર , કિલ્લેદાર , તથા ઠાકુર (ઠાકોર) કહેવામાં આવતા હતા. રાજાઓના પુત્રોને રાજપુત્ર , રાજકુંવર , રાજકુમાર કહેવામાં આવતા હતા. રાજાના ઉતરાધિકારીને યુવરાજ  કહેવાતો .

ક્ષત્રિયોના નામની સાથે સિન્હ શબ્દ લગાવવામાં આવે છે. કારણ કે ક્ષત્રિયોને સિન્હની જેમ બળવાન માનવામાં આવે છે . સિંહની ઉપાધી ધારણ કરવાવાળા સૌથી પહેલા ક્ષત્રિય મહાત્મા બુદ્ધ થયા. જેમનુ બાળપણનું નામ  સિદ્ધાર્થ હતું અને તેમનું નામ સિદ્ધાર્થસિંહ તથા શાક્યસિંહ મળે છે.

ક્ષત્રિયોના નામની સાથે સિન્હ શબ્દ લગાવવામાં આવે છે. કારણ કે ક્ષત્રિયોને સિન્હની જેમ બળવાન માનવામાં આવે છે . સિંહની ઉપાધી ધારણ કરવાવાળા સૌથી પહેલા ક્ષત્રિય મહાત્મા બુદ્ધ થયા. જેમનુ બાળપણનું નામ સિદ્ધાર્થ હતું અને તેમનું નામ સિદ્ધાર્થસિંહ તથા શાક્યસિંહ મળે છે.

શાખ્યવંશી હોવાના કારણે જ શાક્યસિન્હ લખવામાં આવ્યું છે. તેમના પછી ઉજ્જૈન ના પરમાર રાજા વિક્રમાદિત્ય ના મંત્રી અમરસિન્હ કે જેઓએ ‘અમર કોષ’ની રચના કરી હતી તેમનું નામ પણ મળે છે. તે આજથી ૨૦૦૦ વર્ષ પૂર્વે થયા હતા. તેમના પછી મહારાજા રૂદ્ર સિન્હ નું નામ આવે છે. તેમનો સમય સને ૧૮૧ થી ૧૯૬ સુધી હતો. તે પછી માળવાના પરમાર રાજાઓમાં , મેવાડના ગહેલોત નરેશોં માં બારમી સદીમાં અનેક નામ મળે છે. આ પછી સિંહ શબ્દ નો પ્રચલન બધા ક્ષત્રિયોમાં થઇ જાય છે.

बिछडे बन्धु

 

પરિસ્થિતિવશ મધ્યકાળ( મધ્યયુગ) માં ક્ષત્રિયોના કેટલાય વંશો રાજપૂતોથી અલગ થઈ ગયા છે. જેમાં ક્ષત્રિય તરીકે ઓળખાય છે.આ જ્ઞાતિઓ પૂર્વકાળમાં મારવાડ, મેવાડ તથા માળવા ને ગુજરાતની રાજપૂત જ્ઞાતિઓ હતી. તેમનાં રાજ્યો તૂટવાથી તેઓ ગુજરાતમાં આવીને વસ્યાં. પછી પાટણ તરફની વસ્તીમાં ભળવાથી તેઓ રાજપૂત મટી ઠાકોર કહેવાયા. ઠાકોર અપભ્રંશ ઠાકરડા થયો. મધ્ય ગુજરાતમાં વસતા ઠાકોરો સંવત ૧૬ના સૈકામાં આવીને મધ્ય ગુજરાતમાં વસ્યા. આમ તેઓ મૂળે તો રાજપૂતમાંથી છૂટી પડેલી જાતિઓ છે. તેઓ રાજપૂતોની અસલ અટકો લખાવે છે, પરંતુ પોતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. પોતાની રીતિનીતિઓથી પદભષ્ટ થવાથી રાજપૂતોએ તેમની સાથેનો વ્યવહાર ત્યજી દીધો છે. આ ઉપરાંત કેટલાક રાજપૂતોએ  મુસ્લિમ ધર્મ અંગિકાર કરી લીધો છે. અને કેટલાક વંશોએ ઈસાઈ ધર્મ અપનાવી લીધો છે. બાબરએ જયચન્દ અને તેના પુત્ર ત્રિલોક ને મુસલમાન બનાવી દીધા તથા તેનુ નામ તાતારખાં રાખવામાં આવ્યું હતું.

उपसंहार

 

ક્ષત્રિય વંશાવળી લખવામાં અને વાંચવામાં જાતિવાદની ભાવના આવવી જોઇએ નહી. ક્ષત્રિય બન્ધુઓએ પોતાનો અતિતને જાણવા , એકજુટ થઈ અને રાષ્ટિય ભાવનાથી પ્રેરિત થઈને  દેશને એક સુત્રમાં બાંધવાનું કાર્ય કરવું જોઇએ. અથાગ પ્રયત્ન કરવા છતાં પણ ક્ષત્રિય વંશાવલી રૂપી સમુદ્રમાંથી માત્ર એક બુંદ મળી શકયું છે અને આને આપની સમક્ષ પ્રસ્તુત કર્યું છે. અગર જો ભાષા અને સંગ્રહિત વંશાવલીમાં કોઇ ત્રુટી કે કમી રહી ગઈ હોય તો  ભાઈઓ ક્ષમા ચાહુ છું. જે વંશોની જાણકારી મળી શકી નથી તે અંગે  જો કોઇ માહિતી હોય તો અવશ્યસહયોગ કરવા વિનંતી છે. જેથી તે અંગે વિસ્તાર કરી શકાય. ત્રુટીઓ અને ભુલચુક માટે હું આપ સહુની ક્ષમા પ્રાથના ચાહું

 

ક્ષત્રિયોના ગોત્ર

 

ક્ષત્રિય વંશાવલી ઉપર ઘણા ઈતિહાસકરો અને વિદ્વાનોએ મતાંતર અથવા એક મત થઈ ને ઘણું બધું લખ્યું છે. પરંતુ ક્ષત્રિયોના ગોત્ર ઉપર ખાસ કોઇ વિશેષ ધ્યાન આપ્યું નથી. વસ્તુત: વંશાવલી અને ગોત્ર બન્ને એક સિક્કાની બે બાજુ છે. જેવી રીતે સિક્કાની બન્ને બાજુ સાચી હોય તો જ સિક્કાની કિંમત થાય છે. એક બાજુ ખોટી હોય તો પણ સિક્કાની કિંમત રહેતી નથી. એવી જ રીતે ક્ષત્રિયોનો ઈતિહાસવંશાવલીથી પૂર્ણ થઈ જાય છે એવું નથી. આ માટે ગોત્ર ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. એમાં ખાસ  અધ્યયનની આવશક્યતા છે.

ક્ષત્રિય વંશાવલીની પ્રામાણિકતા તેના ગોત્રથી જ થાય છે. ક્ષત્રિયોના ગોત્ર આપણને પ્રાચીન ઋષિઓના સંતાન હોવાનું પ્રમાણિત કરે છે. પ્રાચીન ગ્રંથ મહાભારતમાં ઉલ્લેખ છે કે વિશ્વની શરૂઆતમાં ફકત ચાર જ ઋષિ હતા:- અંગીરા , કશ્યપ , વશિષ્ઠ અને ભૃગુ. આ ચાર ઋષિ ચાર મૂળ ગોત્ર કહેવામાં આવે છે.


“मूलगोत्राणि चत्वारि समूत्पनानि भारत:.
अंगीरा कश्यप्श्चेन वशिष्ठों भृगुरेश्च”..

 

આ ચાર ઋષિયોથી જ આર્યોની ઉત્પતિ થઈ. ગોત્ર ઋષિ સપ્તર્ષિયો માંથી કોઇ એક અથવા તેમના પુત્ર અથવા વંશજ હોય છે. ભૃગુ ઋષિનુ નામ સપ્તર્ષિયો માં આવતુ નથી. પરંતુ તેમના વંશજ જમદગ્નિ નુ નામ આવે છે. તેવી જ રીતે અંગીરા ઋષિના સ્થાને તેમના બે પૌત્રો ભારદ્વાજ તથા ગૌતમ ઋષિઓના નામ આવે છે. અત્રિ અને વિશ્વામિત્ર પણ સપ્તર્ષિઓ છે.

આવી રીતે અત્રિ , વિશ્વામિત્ર , ગૌતમ , ભારદ્વાજ , જમદગ્નિ , કશ્યપ , વશિષ્ઠ આ બધા સપ્તર્ષિઓ છે. આ સપ્તર્ષિઓમાં પછીથી અગસત્ય ઋષિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા ગોત્ર ઋષિઓ વેદોની જુદી જુદી શાખાઓ ના પ્રવર્તક હતા.

ચન્દ્રવંશીઓ ના ગોત્ર અત્રિ છે. કારણ કે , આ ક્ષત્રિયો ચન્દ્રના સંતાન છે અને ચન્દ્ર અત્રિ ઋષિનું સંતાન છે. સૂર્યવંશીઓની ઉત્પતિ વાલી ઋષિઓથી થઈ. જે વંશ જે ઋષિનું સંતાન છે તે ઋષિ તે વંશનું ગોત્ર કહેવામાં આવે છે. દા.ત. પરમાર વશિષ્ઠ ઋષિનું સંતાન છે . આથી તેમનુ ગોત્ર વશિષ્ઠ છે. વર્તમાન સમયમાં એક વંશ ના વંશજ અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ ગોત્ર લખે છે. કેટલાય એવા વંશજ એવા છે કે જેમના ઉત્તર ભારતમાં અલગ તથા દક્ષિણ ભારતમાં ગોત્ર છે. પરંતુ તેઓ એક જ ઋષિના સંતાન છે. ક્યાંક કયાંક એક જ વંશ ની અનેક શાખાઓમાં અલગ – અલગ ગોત્ર જોવા મળે છે. ઉપરોકત પ્રશનોનો એક જ ઉત્તર છે.- ક્ષત્રિયો હજારો વર્ષો સુધી યુદ્ધમાં લિપ્ત રહ્યા. ઈ.સ. પૂર્વે તથા પછીના સમય દરમ્યાન સમગ્ર  ભારત વિદેશી આક્રમણકારીઓ સામે ઝજુમતો રહ્યો . મુસ્લિમ કાળ બધો જ સમય યુદ્ધકાળ કહેવામાં આવ્યો.

આવાં ભીષણ આક્રમણો અને યુદ્ધમાં લિપ્ત રહેવાના કારણે  ક્ષત્રિયો ને દેશ , ધર્મ , સંસકૃતિ તથા પોતાના જીવનનું રક્ષણ કરવાનું કઠણ થઈ ગયું. એને પુર્વવત સ્થિતિમાં લાવવાની સમસ્યા ઉત્તપન્ન થઈ. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયુ હતું .દેશ ,ધર્મ અને સંસ્કૃતિ ને યથાવત કરવાનું ન હતું .તથા દેશ , ધર્મ , સંસ્કૃતિ , ક્ષત્રિય વંશાવલી અને ગોત્ર પરંપરા ખુબજ ભૂલ ભૂલામણીમાં પડી ગયાં. આવી વિષમ પરિસ્થિતિમાં જે ક્ષત્રિયો વંશો ને પોતાના ગોત્ર અને પ્રવર થી અજાણ રહ્યા તેઓએ પોતાના પુરોહિતો ના ગોત્ર ઉચ્ચારણ કરવા લાગ્યા. જેવી રીતે-


“अथ मेषां मंत्र कृतो न स्यू:
स पुरोहित प्रवरास्ते प्रवृणीरन“

प्रवर

પ્રવર નો અર્થ –શ્રેષ્ઠ , વર્ણન કરવાલાયક અથવા આવાહન કરવા લાયક. વેદોમાં અગ્નિપૂજા ને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. આ પૂજા ની સાથે એવા પૂર્વજ ઋષિયો ના કાર્યો નો ઉચ્ચારણ કરવામાં આવે છે કે જે અગ્નિ ને આવાહન કરતા હતા. આથી હવન કરતી વખતે પોતાના પ્રવરો ના નામ અગ્નિ દેવતા ને  બતાવવા પડે છે કે હું અમુક ઋષિ નો વંશ જ છુ. ગોત્ર ઋષિ ,પ્રવર ઋષિ તેઓના પ્રસિદ્ધ વંશ જ હોય છે. જેના નામ થી તે વંશની પ્રસિદ્ધિ થઈ. એક ગોત્ર ઋષિના સાથે એક , બે , ત્રણ અથવા પાંચ પ્રવર હોય છે. જે વંશના  જેટલા પણ પ્રવર હોય , યજ્ઞોપવીત માં એટલી જ ગાંઠો હોય છે. વૈદિક સૂત્રોની સંખ્યા નિશ્ચિત હોય છે. આથી પ્રવરોની સંખ્યા પણ નિશ્ચિત હોય છે. બોધાયન સૂત્રાનુસાર ગોત્ર તો હજારો હોય છે. પરંતુ પ્રવાર ફકત ૪૯ જ હોય છે.જે ઋષિયો એ વેદોની ઋચાની રચના કરી હતી તે પ્રવર ઋષિઓમાં અનેક ક્ષત્રિય સમ્રાટ પણ હતા. જેવા કે માન્ધાતા , અમ્બરિસ , યુવનાશ્વ , પુરુકુત્સ , વગેરે  સૂર્યવંશી સમ્રાટ હતા. તથા સુનક મત્ર , અજામિધ વગેરે ચન્દ્રવંશી સમ્રાટો હતા. પ્રવરાધ્યાયથી એવુ જાણવા મળે છે કે વૈદિક કાળમાં ઘણા બધા ક્ષત્રિયો બ્રાહ્મણ થઈ ગયા હતા અને આ રીતે ઘણા બધા બ્રાહ્મણો ક્ષત્રિય થઈ ગયા. કારણ કે એ સમયે જાતિ પ્રથા એટલી બધી કઠોર ન હતી. જેવી રીતે કણ્વ ઋષિ કે જે મહારાજા દુષ્યંત ના પુર્વજ હતા તથા ચંદ્ર વંશમાં જન્મ્યા હતા. પુરુકુત્સ  સૂર્યવંશી ક્ષત્રિય હતા પરંતુ બાદમાં બ્રાહ્મણ થઈને અંગીરસ સમુદાયમાં ભળી ગયા. મુદગલ ચન્દ્રવંશી ક્ષત્રિય હતા પરંતુ તેમના વંશજો હાલમાં બ્રાહ્મણો છે. વાયુ પુરાણમાં ચન્દ્રવંશી સમ્રાટ ગર્ગ નું બ્રાહમણ હોવાનુ વર્ણન મળે છે. વિશ્વામિત્ર પણ વૈદિક કાળમાં ક્ષત્રિય હતા. જેમના વંશજો હાલમાં કૌશિક ગોત્રના બ્રાહ્મણો છે. કારણ કે વિશ્વામિત્રનું બીજુ નામ કૌશિક હતું. ગોત્રના સબન્ધમાં સામાન્ય ધારણા એવી છે કે તેનાથી કોઇ એક પુર્વજ થી ચાલી આવતા વેલાનું જ્ઞાન થાય છે. બોધાયન ને ગોત્ર પ્રવરો ની નીચે જણાવેલ તાલીકા ને માન્ય કરી છે.

૧. સૂર્યવંશ:

શાખાઓ –વિશેન વંશ , દોનવાર વંશ , રઘુવંશી , લૌહથમ (લોહતમિયા).

૨. ગ્રહલોત અથવા ગહલોત અથવા ગહલૌત –ગેહલોત

શાખાઓ – ગોહિલ , સિસોદિયા , મહથાન , ચમિયાલ , કડિયાર અથવા મડિઔર ,ભોંસલા, ગોરખાવંશ , સિન્ધિયા . 

૩. નિકુમ્ભ:

શાખાઓ – શ્રીનેત અથવા સિરનેત , નરવની અથવા નરૌની , કટહરિયા .

૪. નાગવંશ:

શાખાઓ – કર્કોટક (કાશ્મીર માં) , તક્ષક (પંજાબ તથા કાશ્મીરમાં) , ટાંક વંશ

(પંજાબમાં) ,  પંચકર્પટ વંશ (પંજાબમાં) .

૫. યાદુ (યાદવ વંશ ) :

શાખાઓ –યદુવંશ , ભાટીવંશ , હૈહય વંશ ,જાડેચા(જાડેજા) , કલચુરી વંશ યા

કલચુરીયા વંશ

૬. રાઠૌર યા રાઠોડ વંશ  :

શાખાઓ – રૈકવર , જાયસ , કૈલવાડ , સૂરવાર , દહિયા , મહરૌડ (મહારાઉલ) .

૭. ચહુવાન યા ચૌહાણ વંશ :

શાખાઓ – હરડા , ખીંચી , ગોપલવાલ , ભદોરીયા , સિરોહી , રાજકુમાર .

૮. ગૌતમ વંશ :

શાખાઓ – મૌર્યવંશ , કુણ્ડવાર યા કણ્ડવાર , ગૌતમિયા , ગોનિહા , અણ્ટૈયા .

૯. કછવાહા વંશ :

શાખાઓ – નરવર , કછવાહા , શેખાવટી યા શેખાવત .

૧૦. પરમાર વંશ :

શાખાઓ – ચાવડ યા ચાવગ , ડોડ (ડોડા)  ઉજ્જૈન , ગન્ધવરીયા, માલવીયા , ઢેકહા, ભુઆલ

૧૧. પ્રતિહાર યા પરિહાર વંશ :

શાખાઓ – ભુતહા , મલહજની .

૧૨. ચલુક યા ચાલુક્ય યા સોલંકી વંશ :

શાખાઓ – બઘેલ(વાઘેલા) , ભરસુરીયા , તાતિયા , યા ટેટિહર , ભાલેસુલાન ,  કાકનવંશ.

૧૩. વૈસ વંશ :

(રાજા વાસુ ના વંશરાજ વૈસ કહેવાયા)

શાખાઓ – કોટવાહર વૈસ , કઠ  વૈસ , ડોડિયા વૈસ , ત્રિલોકચન્દી વૈસ ,

પ્રતિષ્ઠાપુરી(પ્રયાગ).

૧૪. ગૌડ વંશ :

શાખાઓ – વૃહ્ન ગૌડ , ચમરગૌડ , ભટટગૌડ , ગૌડહર , અમેઠિયા.

 

૧૫. વડગૂજર વંશ :

શાખાઓ –સિકરવાર .

૧૬. દીક્ષિત વંશ :

શાખાઓ – નેવતની, દુર્ગવંશી , વિલખરિયા , કિનવાર .

૧૭. તંવર યા તોમર વંશ :

શાખાઓ – રુણેચા , વેરુઆર , રૈકવાલ યા રૈકવર , રવાતિ , વિલદારિયા .

૧૮. સોમવાલ યા ચન્દેલ વંશ :

શાખાઓ – ચમરકટે વંશ , મોહવિએ યા મહોવિયા વંશ.

૧૯. સિંગર વંશ :

શાખાઓ – બરહયિયા.

૨૦. ગહરવાર વંશ :

શાખાઓ –કર્મવાર , વુન્દેલા , માણ્ડા , ડૈયા.

૨૧. જિટ વંશ .

૨૨. સિલાર યા સુલાર વંશ

૨૩. વનાકર વંશ .

૨૪. ચાવડા વંશ .

૨૫. ડોડ યા ડોડા વંશ

૨૬. સોમવંશી યા ચન્દ્રવંશી :

શાખાઓ – પુરુવંશ , કુરુવંશ , હરિદ્વાર ક્ષત્રિય વંશ , કૌશિક વંશ , જનવાર વંશ , પલવાર યા પાલીવાલ ભૃગુવંશ .

૨૭. દહિમા વંશ :

શાખાઓ – પુણ્ડીર વંશ .

૨૮. દહિયા વંશ :

શાખાઓ – સિરોહી વંશ .

૨૯. કાવ વંશ.

૩૦. બડવાલિયા વંશ.

૩૧. ઉદય વાલિયા વંશ .

૩૨. કોટપાલ વંશ .

૩૩. રાજપાલ વંશ .

૩૪. ધાન્યપાલ વંશ .

૩૫. રોસ જુત વંશ .

૩૬. અનંગ વંશ .


ક્ષત્રિયો સાથે ઈતિહાસકારોનો અન્યાય

હવે દરેક સમાજ મર્યાદિત થતાં લગ્ન વ્યવહારો પણ સિમિત થવા લાગ્યાં. આ સમય દરમ્યાન કેટલાક ક્ષત્રિયોએ ક્ષત્રિયો સિવાયની અન્ય જાતિઓ એટલે કે ક્ષત્રીય જાતિઓ સાથે લગ્ન વ્યવહારો શરુ કર્યા. આમાંના કેટલાક ક્ષત્રિયો પોતાને જેમ પરવડે એમ વ્યવહારો કરવા લાગ્યા. આના કારણે સમસ્ત ક્ષત્રિય સમાજમાં નવી ચર્ચાઓની શરૂઆત થઇ. કેટલાક ક્ષત્રિયોએ બાહ્ય જાતિની કન્યાઓ સાથે લગ્ન વ્યવહારો કરનારા ક્ષત્રિયો સાથેનો વ્યવહાર બંધ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય કરવાવાળાઓમાં સૌથી પહેલાં રાજઘરાના વાળા રાજવંશો હતા. ક્ષત્રિયોમાં જેની પાસે રાજસત્તા હતી, એ તમામ રાજવંશીઓ તરીકે ઓળખાતા હતાં. આવા રાજઘરાનાના રાજવંશો એ એક થઈને ફક્ત રાજવંશી ક્ષત્રિયો માટેનો એક અલગ ગોળ બનાવ્યો, અને આ ગોળ કે આ રાજવંશી ક્ષત્રિય સમુહને ૩૬ કુળ એવું નામ આપવામાં આવ્યું. આ ૩૬  રાજવંશી ક્ષત્રિય સમુહમાં ફક્ત રાજઘરાનાના એટલ કે જેઓની પાસે રાજસત્તા હતી એવા જ ક્ષત્રિયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ અહીથી ક્ષત્રિય સમાજના બે ભાગલાનું સર્જન થવા પામ્યું. આ ૩૬ કુળ સમુહમાં જે ક્ષત્રિયો પોતાનાથી નીચી જાતિની કન્યાઓ સાથે લગ્ન વ્યવહારો બાંધ્યા તેવાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો નહિ.

રાજપૂતનો ઉદય વૈદિક કાળ, ઉત્તર વૈદિક કાળ, બૌદ્ધ, મૌર્ય, ગુપ્ત અને  હર્ષવર્ધનના શાસન સુધી ભારત દેશની રક્ષક જાતિ  “ક્ષત્રિય” ના નામથી ઓળખાતી હતી, પરંતું હર્ષવર્ધનના શાસનાકાળ  પછી ઈતિહાસમાં એક નાટકિય વળાંક આવે છે અને એક નવું નામ “રાજપૂત” ક્ષત્રિય જાતિ માટે આવે છે.

ખરેખર ભારતના મુળનિવાસી ક્ષત્રિયો માટે “રાજપૂત” શબ્દ નહી પણ “રજપૂત” શબ્દ હોવો જોઇએ .કારણકે રાજપૂત શબ્દ પરદેશી આક્રમણકારો લાવેલા છે. પરંતું હર્ષવર્ધનના શાસનકાળ પછી  ભારતમાં એકછત્ર  રાજ્યનો અભાવ થઈ ગયો. રાજ્યોના અડધા ઉપરના શાસકો રજપૂતો જ હતા. આથી આ યુગને  “રજપૂત યુગ” કહેવામાં આવે છે. ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશને જ અહીથી રજપૂત  વંશ બનાવી દીધો. અને ક્ષત્રિય વંશને એક નવી જાતિ  બનાવી દીધી. સમય જતાં જે ૩૬ કુલના રાજવંશો નાં પુત્રો થયાં તે રાજપુત્રો તરીકે ઓળખાવા લાગ્યા. આ રાજપુત્રો કે રાજપુત્ર શબ્દનું  અપભ્રંશ થતાં રાજપૂત નામનો નવો શબ્દ બન્યો અને આ શબ્દ લોકબોલીમાં રજપૂત કે રાજપૂત તરેકે કાયમ થયો. આમ જે રાજવંશી ક્ષત્રિયોના રાજપૂત્રો હતા તે પોતાને રાજપૂત માનવા લાગ્યા અને અહીથી ઇતિહાસમાં એક નવો શબ્દ “ રાજપૂત “ નો ઉદય થયો જે આજે પણ લોકબોલીમાં સૌથી વધારે બોલાય છે.

પાલવી રજપૂત-પાલવી દરબાર-પાલવી ઠાકોર ઉત્ત્પત્તિ જોકે રાજઘરાનાના  રાજવંશી રાજપૂતો થી અલગ થવાથી ફક્ત રાજપૂતો પાસેજ સત્તા હતી એવું નથી. ૩૬ કુળ રાજવંશી રાજપૂતો સિવાયના ક્ષત્રિયો પાસે પણ રાજ્યો હતા અને સત્તાઓ પણ હતી. અને પોતાને પણ ક્ષત્રિય અને રજપૂત તરીકે ઓલાખાતા આવ્યા છે. આજે આ ક્ષત્રિયોના બારોટો નાં હજારો વર્ષોના ચોપડાઓમાં અને ઇતિહાસના પુસ્તકોમાં આ વાતને સમર્થન મળે છે. આ ક્ષત્રિયોના પૂર્વજોના રાજ્યો તૂટવાથી કે  ભાગવાથી યાતો ભગાડવાથી છેક રાજસ્થાનમાંથી ગુજરાત અને સમગ્ર વિસ્તારમાં સ્થાપિત થતાં રહ્યા અને પોતાને પરવડે એમ વ્યવહારો કરવા લાગ્યા. આથી કેટલાક ક્ષત્રિયો પોતાને પાલવે તે પ્રમાણેના વ્યવહારો કરવાના કારણે પાલવી રજપૂત કે પાલવી દરબાર-પાલવી ઠાકોર તરેકે ઓળખવા લાગ્યા.


ક્ષત્રિય એટલે શુ?

ઈતિહાસ તેમજ પુરાણો અને ઉપનીષદો અને એ પહેલાં રામાયણ, મહાભારત વિગેરમાં ક્ષત્રિય શબ્દો ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયેલા જોવા મળે છે.

પ્રસ્તાવના

પૂર્વકાળમાં જ્યારે ઈતિહાસ તેમજ પુરાણો અને ઉપનીષદો અને એ પહેલાં રામાયણ, મહાભારત વિગેરમાં ક્ષત્રિય શબ્દો ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયેલા જોવા મળે છે.

ફક્ત લડાયક પ્રજા માટે ક્ષત્રિય શબ્દ વપરાતો હતો.

લગભગ  છેક છઠ્ઠી સુધી પણ ક્ષત્રિય શબ્દો નો ઇતિહાસમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. પરંતુ છઠ્ઠી સદી પછી છેક નવમી સદીમાં બુદ્ધ ધર્મના અસ્ત પછી જ્યારે શંકરાચાર્ય દ્વારા વૈદિક ધર્મ એટલે કે સનાતન ધર્મની શરૂઆત થઈ ત્યારે જાતિ વ્યવસ્થા અને જાતિ ભેદ વધુ પ્રમાણમાં દ્રઢ થવા લાગ્યો. તેથી દરેક જાતિઓ એ પોત પોતાનાં સમાજની મર્યાદાઓ સિમિત કરી નાખી. આવી સમાજ મર્યાદાઓ ક્ષત્રિય સમાજ ને પણ બંધનકર્તા બની.

ક્ષત્રિયોમાં વિભાજન

ક્ષત્રિયોમાં વિભાજન પ્રતિષ્ટિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિહાસકારોએ અનેક પુરાવાઓ દ્વારા પોતાની કલમ ને સત્ય અને નિષ્પક્ષ સાબિત કરી છે. તેમ છતાં આ વિષય આજે પણ અપુર્ણ છે.  ક્ષત્રિય વંશાવળી ,ગોત્ર, પવિત્ર પરંપરાઓ, માન મર્યાદાઓ, વીરતાઓનો જ ઈતિહાસ છે. ક્યારેક એવું લાગે છે કે ઈતિહાસકારોએ ‘ક્ષત્રિય ઈતિહાસ’ પર પોતાની સંકુચિત ભાવનાઓનો વધારે પડતો સમાવેશ કર્યો છે. ભારતનો  દરેક બુદ્ધીશાળી વર્ગ જાણે છે કે, ભારતના ઈતિહાસને જો ક્ષત્રિયોનો ઈતિહાસ કહેવામાં આવેતો એમાં કોઇ અતિશયોક્તિ નથી. કારણ કે ભારતનો ઈતિહાસ ૯૦ ટકા ક્ષત્રિયો દ્વારા  બનાવવામાં આવ્યો છે. જો ઈતિહાસના પાનામાંથી ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવેતો , બાકી બે પુંઠા જ વધે. આમ છતાં પણ ઈતિહાસમાં ક્ષત્રિયોનું સ્થાન નગણ્ય છે.

હવે દરેક સમાજ મર્યાદિત થતાં લગ્ન વ્યવહારો પણ સિમિત થવા લાગ્યાં. આ સમય દરમ્યાન કેટલાક ક્ષત્રિયોએ ક્ષત્રિયો સિવાયની અન્ય જાતિઓ એટલે કે ક્ષત્રીય જાતિઓ સાથે લગ્ન વ્યવહારો શરુ કર્યા. આમાંના કેટલાક ક્ષત્રિયો પોતાને જેમ પરવડે એમ વ્યવહારો કરવા લાગ્યા. આના કારણે સમસ્ત ક્ષત્રિય સમાજમાં નવી ચર્ચાઓની શરૂઆત થઇ. કેટલાક ક્ષત્રિયોએ બાહ્ય જાતિની કન્યાઓ સાથે લગ્ન વ્યવહારો કરનારા ક્ષત્રિયો સાથેનો વ્યવહાર બંધ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય કરવાવાળાઓમાં સૌથી પહેલાં રાજઘરાના વાળા રાજવંશો હતા. ક્ષત્રિયોમાં જેની પાસે રાજસત્તા હતી, એ તમામ રાજવંશીઓ તરીકે ઓળખાતા હતાં. આવા રાજઘરાનાના રાજવંશો એ એક થઈને ફક્ત રાજવંશી ક્ષત્રિયો માટેનો એક અલગ ગોળ બનાવ્યો, અને આ ગોળ કે આ રાજવંશી ક્ષત્રિય સમુહને ૩૬ કુળ એવું નામ આપવામાં આવ્યું. આ ૩૬  રાજવંશી ક્ષત્રિય સમુહમાં ફક્ત રાજઘરાનાના એટલ કે જેઓની પાસે રાજસત્તા હતી એવા જ ક્ષત્રિયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ અહીથી ક્ષત્રિય સમાજના બે ભાગલાનું સર્જન થવા પામ્યું. આ ૩૬ કુળ સમુહમાં જે ક્ષત્રિયો પોતાનાથી નીચી જાતિની કન્યાઓ સાથે લગ્ન વ્યવહારો બાંધ્યા તેવાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો નહિ.

રાજપૂતનો ઉદય વૈદિક કાળ, ઉત્તર વૈદિક કાળ, બૌદ્ધ, મૌર્ય, ગુપ્ત અને  હર્ષવર્ધનના શાસન સુધી ભારત દેશની રક્ષક જાતિ  “ક્ષત્રિય” ના નામથી ઓળખાતી હતી, પરંતું હર્ષવર્ધનના શાસનાકાળ  પછી ઈતિહાસમાં એક નાટકિય વળાંક આવે છે અને એક નવું નામ “રાજપૂત” ક્ષત્રિય જાતિ માટે આવે છે.

ખરેખર ભારતના મુળનિવાસી ક્ષત્રિયો માટે “રાજપૂત” શબ્દ નહી પણ “રજપૂત” શબ્દ હોવો જોઇએ .કારણકે રાજપૂત શબ્દ પરદેશી આક્રમણકારો લાવેલા છે. પરંતું હર્ષવર્ધનના શાસનકાળ પછી  ભારતમાં એકછત્ર  રાજ્યનો અભાવ થઈ ગયો. રાજ્યોના અડધા ઉપરના શાસકો રજપૂતો જ હતા. આથી આ યુગને  “રજપૂત યુગ” કહેવામાં આવે છે. ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશને જ અહીથી રજપૂત  વંશ બનાવી દીધો. અને ક્ષત્રિય વંશને એક નવી જાતિ  બનાવી દીધી. સમય જતાં જે ૩૬ કુલના રાજવંશો નાં પુત્રો થયાં તે રાજપુત્રો તરીકે ઓળખાવા લાગ્યા. આ રાજપુત્રો કે રાજપુત્ર શબ્દનું  અપભ્રંશ થતાં રાજપૂત નામનો નવો શબ્દ બન્યો અને આ શબ્દ લોકબોલીમાં રજપૂત કે રાજપૂત તરેકે કાયમ થયો. આમ જે રાજવંશી ક્ષત્રિયોના રાજપૂત્રો હતા તે પોતાને રાજપૂત માનવા લાગ્યા અને અહીથી ઇતિહાસમાં એક નવો શબ્દ “ રાજપૂત “ નો ઉદય થયો જે આજે પણ લોકબોલીમાં સૌથી વધારે બોલાય છે.

પાલવી રજપૂત-પાલવી દરબાર-પાલવી ઠાકોર ઉત્ત્પત્તિ જોકે રાજઘરાનાના  રાજવંશી રાજપૂતો થી અલગ થવાથી ફક્ત રાજપૂતો પાસેજ સત્તા હતી એવું નથી. ૩૬ કુળ રાજવંશી રાજપૂતો સિવાયના ક્ષત્રિયો પાસે પણ રાજ્યો હતા અને સત્તાઓ પણ હતી. અને પોતાને પણ ક્ષત્રિય અને રજપૂત તરીકે ઓલાખાતા આવ્યા છે. આજે આ ક્ષત્રિયોના બારોટો નાં હજારો વર્ષોના ચોપડાઓમાં અને ઇતિહાસના પુસ્તકોમાં આ વાતને સમર્થન મળે છે. આ ક્ષત્રિયોના પૂર્વજોના રાજ્યો તૂટવાથી કે  ભાગવાથી યાતો ભગાડવાથી છેક રાજસ્થાનમાંથી ગુજરાત અને સમગ્ર વિસ્તારમાં સ્થાપિત થતાં રહ્યા અને પોતાને પરવડે એમ વ્યવહારો કરવા લાગ્યા. આથી કેટલાક ક્ષત્રિયો પોતાને પાલવે તે પ્રમાણેના વ્યવહારો કરવાના કારણે પાલવી રજપૂત કે પાલવી દરબાર-પાલવી ઠાકોર તરેકે ઓળખવા લાગ્યા.

ઠાકોરો નાં રાજ્યો

પોતાના પૂર્વજો વર્ષો પહેલાં કેટલાક નાના મોટા  રજવાડાં કે ગામોના ધણીઓ કે માલિકો હતા. આવા રજવાડાના માલિકો “ઠાકોર સાહેબ” કે “ઠાકોર” તરીકે ઓળખાતા હતાં.  આ પાલવી ઠાકોરો નાં રાજ્યો છેક અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યાં સુધી ટકવા પામ્યાં હતા.

એક બીજી હકીકત પ્રમાણે મોગલકાળ અને તે પછીથી સલ્તનત કાળ સમયે કેટલાક ક્ષત્રિયોએ મોગલો અને સલ્તનતના સુલતાનો સાથે લગ્ન વ્યવહારો શરું કર્યા. આવા વ્યવહારો કેટલાક ક્ષત્રિયોને પરવડ્યા કે પાલવ્યા નહિ. અને જે ક્ષત્રિયો ને મોગલો કે સુલતાનો સાથેના લગ્ન વ્યવહારો નાં સ્વીકાર્યા તે ક્ષત્રિયો પોતાને પાલવી રજપૂત કે પાલવી દરબાર-પાલવી ઠાકોર તરીકે ઓળખાવા લાગ્યા. જો કે ગુજરાતમાં જે સુલતાનોએ રાજ્ય કર્યું તે તમામ સુલતાનો મુળે રાજપૂતો હતા. સામ્યતાઓ ૩૬ કુળમાં ના સમાવિષ્ટ થયેલા જે ક્ષત્રિયો હતા એ પોતાને અસલ ક્ષત્રિય તરેકે જ પોતાને ઓળખાવાનું ચાલુ રાખ્યું. આ ક્ષત્રિયો છેક મોગલ સલ્તનત અને તે પછી અંગ્રેજ સરકાર નાં શાસન કાળ સુધી અલગ અલગ જગ્યાએ સૈનિકો તરીકે પોતાની ફરજો નિભાવતાં રહ્યા. આ ક્ષત્રિયો અને ૩૬ કુળમાંના ક્ષત્રિયો પોતાની અટકો એક સરખી ધરાવે છે. બન્ને વચ્ચે લગ્ન વ્યવહારોમાં ઘણી બધી સામ્યતાઓ જોવા મળે છે. જોકે ૩૬ કુળના રાજવંશો પોતાને અન્ય ક્ષત્રિયો કરતાં સૌથી ઊંચા માને છે. જોકે આ રાજવંશોની પાસે પહેલેથીજ સત્તાનો દોર હોવાથી આર્થિક અને શૈક્ષણિક રીતે સક્ષમ રહ્યા છે. અને બાકીના ક્ષત્રિયો આર્થિક અને શૈક્ષણિક રીતે રાજવંશીઓ કરતા ઘણા જ પાછળ છે. વર્ષો સુધી સૈનિકો તરીકેની જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં અને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવાથી પોતાના રીત રિવાજો તેનાજ પોતાની કુળદેવી અને ગોત્ર વિગેરેનું વિસ્મરણ થતાં રહેણી કહેણી અને રીત રિવાજોમાં રાજવંશી ક્ષત્રિયો કરતા થોડા ફરક પડ્યા છે. શાખા, ગોત્રો અને કુળદેવ, રાજવંશી રાજપૂતો અને પાલવી ક્ષત્રિયો-દરબારો-ઠાકોર વિગેરેની શાખો, ગોત્રો અને કુળદેવી કે કુળદેવતાઓ એક જ છે.

પરમાર, ચૌહાણ, ઝાલા, મકવાણા, રાઠોડ, સોલકી, પઢિયાર, જાદવ, જાડેજા, સોઢા, ડોડીયા, ચાવડા, ગોહિલ,રાણા,બારડ,વાઘેલા,સિસોદિયા વિગેરે શાખાઓ તો રાજપૂતો અને અન્ય ક્ષત્રિયોમાં લગભગ એકજ પ્રકારની છે. એજ પ્રમાણે ગોત્ર અને કુળદેવતા કે કુલદેવીઓમાં પણ એજ પ્રકારની સામ્યતાઓ જોવા મળે છે.

પાલવી રજપૂત-પાલવી દરબાર- પાલવી ઠાકોરની વસતી  મોટે ભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે. આજે પણ આ ક્ષત્રિયો પોતાને અસલ ક્ષત્રિય તરીકેની ઓળખાના આપ્યા વગર રહેતા નથી. પોતાનો વટ, વચન અને અન્યો માટે બલિદાનની ભાવના આ પાલવી ક્ષત્રિયોઓમાં આજે પણ અકબંધ છે. વાસ્તવમાં પરાધિનતાને પડકારી, સંગ્રામો ખેલી, ભવ્ય બલિદાનો આપી અને દરજ્જામાં ફંગોળાતી, વિભાજિત થયેલી આ રજપૂત કૂળોની આ જાતિઓની ભવ્યગાથાઓ, શૌર્યકથાઓ, સંસ્કાર, સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે સમાજ અજાણ છે અને કેટલાક કહેવાતા બુદ્ધિજિવીઓ અને સંકૂચિત માનસધરાવતા ઇતિહાસકારોએ આ પ્રજાને માટે મનફાવે તેવા સંજ્ઞાવાચક નામો અને પેટાજ્ઞાતિઓમાં વિભાજિત કરવામાં મહત્વનો ભાગ ભજવેલ છે. પ્રદેશીઓના આક્રમણો તેમજ મોગલો અને બ્રીટીશ તેમજ ગાયકવાડ શાસકોએ આ શૂરવીર પ્રજા પર અત્યાચાર કરી જુલ્મો ગુજારેલ. જેના કારણે આ લડાયક અને શૂરવીર પ્રજા ના છૂટકે બહરવટે તેમજ અન્યાયકારી દમન સામે પ્રતિકાર કરેલો. વાસ્તવમાં જે તે વખતના શાસકોએ આ પ્રજાને બહરવટે ચડવા માટે પ્રોત્સાહિત કરેલા અને તેમને થયેલા અન્યાય સામે જીવંત પર્યંત ઝઝૂમેલા આ શૂરવીરો વાસ્તવમાં બહારવટીયા નહી પણ આઝાદીના શરૂઆત કરનારા મહાન શહિદો હતા. જે તે સમયના શાસકોની અન્યાય અને ભેદભાવભરી નીતિઓના કારણે આ લડાયક કોમોએ પ્રતિકાર કરેલો. તેઓ સમાજના ગરીબ અને જરૂરીયાતમંદ પરીવારોને આર્થિક રીતે સહાયરૂપ બનતા. તેઓ ગરીબ કન્યાઓને લગ્ન કરાવવા માટે દાન પણ કરતા. ક્ષત્રિય સમાજ અંગે વધુ માહીતી જાણવા તેમજ આ લડાયક અને શૂરવીર પ્રજાના ઇતિહાસ અંગે વધુ પ્રકાસ પાડવા બાબતે જો આપણે ક્ષત્રિય ઇતિહાસ  અંગે વિગતવાર તેમની વંશાવલી તેમજ ગોત્રો અને ઇતિહાસ જાણીશું તો આપણને આ પ્રજાના પોતાના ઇતિહાસની વિવિધતા સમજવામાં સરળતા રહેશે.  

રાજપૂતવંશી ક્ષત્રિય ઠાકોરો

આઝાદી પૂર્વે  અનેક નાનાં મોટાં રજવાડાં, ઠકરાતો, ઠાકોરો, દરબારો, તાલુકદારો, ગિરાઅદારો રૂપે આ પ્રજા જોવા મળતી હતી. આજે પણ આ પજા યથાવત  છે પણ તેમની સત્તા કે અશ્વર્ય રહ્યાં નથી. છતાં મૂળભૂત ગુણ, સ્વભાવ, અને ખમીરની તેમજ લડાયક અને શૂરવીરતાની તેમની ઓળખાણ તો તેમના પ્રથમ પરિચયે થયા વગર રહેતી નથી. આ છે ગુજરાતના    રાજપૂતવંશી ક્ષત્રિય ઠાકોરો, રાજપૂતો, પાલવી ઠાકોરો, પાલવી દરબારો આદી…….*

દા.ત. પાલવી દરબાર-પાલવી ઠાકોર-પાલવી રજપુત (પગી – રાજા રજવાડાઓના સમયમાં કોઇ ચોરી કે લૂંટફાટ કરીને ભાગી જાય ત્યારે તેને શોધવા માટે ખાસ તાલીમ પામેલા કે બાપદાદાઓના ચાલી આવતા રીત રીવાજ મુજબા ક્ષત્રિય જાતિની આ પ્રજા ભાગી ગયેલા ચોર લૂંટારાના પગ પગેરું શોદવામાં નિપૂણ હતા. જે સમય જતાં પગી તરીકે ઓળખાયા.)

કે કોટવાળ (કોટવાળ – કોટ કે કિલ્લાનું રક્ષણ કરનાર ક્ષત્રિય રાજપૂતો સમય જતાં કોટવાળ તરીકે ઓળખાયા) અને સામંત વગેરે. આ તમામ સમુહો કે અટકો ધરાવતા ક્ષત્રિયો રજપૂતોની જાતિઓ છે.

આ ક્ષત્રિય સમાજ ગુજરાતમાં વિશાળ સંખ્યામાં વસે છે. ક્ષત્રિય ઠાકોર ઉત્તર ગુજરાતમાં તેના પહેરવેશ અને નામને કારણે હમેશાં ખ્યાતિમાન છે. યુવાનો કાનમાં મરચી કે ગોખરુ અથવા બુટ્ટીઓ તેમજ કેડે કંદોરા અને ખભા ઉપર ખેસ કે માથે સાફો અથવા તો પાઘડી પહેરે છે. ઉપરાંત વડીલો ઘેરદાર ધોતી અને પહેરણ પહેરે છે અને પગમાં મોજડી અથવા તો બુટ પહેરે છે. સ્ત્રીઓ ઘેરદાર ઘાઘરા અને સાડલો (સાડી) તેમજ પગમાં કડલાં, કાંબીયુ કે સાંકળા પહેરે છે. ઉપરાંત ગળામાં ટુપિયો અને અન્ય આભુષણો પહેરે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રહેતા જાતિના લોકો નો પહેરવેશ બોલી એક જ પ્રકારની છે. સૌરાષ્ટ્ર અને પુર્વ બાજુ આ જાતિ ઘણી જ પછાત છે. આ જાતિના લોકો પોતાની ખાનદાની અને ત્યાગની ભાવના માટે પ્રાચિન સમયથી પ્રખ્યાત છે.

ઠાકોર શબ્દનો અર્થ છે , જમીનનો માલિક, ઠાકુર, પ્રદેશનો અધિપતિ, માલિક, સ્વામી, સરદાર, નાયક, અધિષ્ઠાતા, ગામધણી, ગરાસિયો, તાલુકદાર, નાનો રાજા, લડાયક જાતિની પ્રજા,રજપુત, અને (ક્ષત્રિય) કોમની એ નામની અટક. ગુજરાતમાં હાલમાં ક્ષત્રિય તરીકે ઓળખાતા (ઠાકોર, બારૈયા, પાટણવાડીયા, ધારાળા) આ બહુવિધ ક્ષત્રિય સમુહો વિવિધ અટકો પણ ધરાવે છે. જેમ કે પરમાર, સોઢા પરમાર, સોલંકી, ચૌહાણ, ડાભી , રાઠોડ, ગોહેલ અથવા ગોહીલ, પઢિયાર, ઝાલા, મકવાણા, વાઘેલા ચાવડા, જાદવ, ભાટી વિગેરે. આ ઉપરાંત કેટલાક ઠાકોરો તેમના મુળ ગામના નામથી કે તેમના સાહસિક પુર્વજોના નામ કે ફરજના હોદ્દાઓના નામથી પણ ઓળખાય છે. દા.ત.પગી કે કોટવાળ અને સામંત વગેરે. આ તમામ સમુહો કે અટકો ધરાવતા ક્ષત્રિયો પ્રાચિન ભારતના ક્ષત્રિયો છે.

સમાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાતવર્ગના આ ક્ષત્રિયો કે જે પરદેશી અમલ શરુ થયો તે પહેલાં આ ક્ષત્રિયોના પુર્વજો નાની મોટી ઠકરાતો ધરાવતા હતા. અને બીજા કેટલાક રાજા –રજવાડાઓમાં લશ્કરમાં સૈનિક કે સેનાપતી તરીકે કામ કરતા હતા .તેમજ કેટલાક રાજાના દરબારમાં, સામંત કે જમીનદાર અથવા ઠાકુર કે ઠાકોર અને ગરાસિયા તેમજ તાલુકદાર તરીકે ફરજ બજાવતા હતા. પરદેશીઓનુ રાજ્ય વિસ્તરવા લાગ્યું તેમ તેમ રાજા રજવાડાઓ વિલિન થતા ગયા. કેટલાકે પરદેશીઓની આધીનતા સ્વીકારી. એ સમયના કેટલાક શાસકોએ આ ક્ષત્રિયોને પરાસ્ત કરીને તેઓની જમીનો, માલ મિલ્કત વિગેરે પડાવી લીધુ. અને આથી આમ આ સમગ્ર કોમ નિરાધાર થવા લાગી. ધીમે ધીમે આ લડાયક, સ્વમાની ત્યાગની ભાવના ધરાવતી કોમ ખેતીન ધન્ધા તરફ વળી.

રાજપૂતવંશી ઠાકોર મુળ ક્ષત્રિય સમાજનો એક ભાગ

રાજપૂતવંશી ઠાકોર મુળ ક્ષત્રિય સમાજનો એક ભાગ છે. તે ક્ષત્રિય રાજપુતની જાતિનો એક વર્ગ છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક ક્ષત્રિયો પાલવી દરબાર-પાલવી ઠાકોર-જાગિરદાર, રજપુત તરીકે ઓળખાય છે.ગુજરાતમાં વસતી આ કોમ (વંશ- પરમાર, ચૌહાણ, સોલંકી, ચાવડા, રાઠોડ, મકવાણા, ઝાલા, વાઘેલા, પઢિયાર, ડાભી, જાદવ વગેરે) ઠાકોરો તરીકે ઓળખાય છે. આ કોમ તેના લડાયક મિજાજ માટે ગુજરાતભરમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત કેટલાક ઠાકોરો તેમના મુળ ગામના નામથી કે તેમના સાહસિક પુર્વજોના નામ કે ફરજના હોદ્દાઓના નામથી પણ ઓળખાય છે.

ક્ષત્રિયોની સાથે અન્યાય ભારતનો ઇતિહાસ મુખ્યત્વે શરુઆતમાં વિદેશી ઇતિહાસકારો કે જે , ભારત પર આક્રમણ કરવાવાળી જુદી જુદી જાતિઓના સમુહો હતા. અથવા તો તેમના દાસ કે ગુલામ હતા. જેઓએ ઇતિહાસ લખ્યો. આ ઇતિહાસકારોએ કેટલાક કથનનોનો આધાર બનાવી ને અથવા તો તેમાં જોડ તોડ કરીને ,તેમજ આપણા ઇતિહાસકારોએ પણ વસ્તુ-સ્થિતિની ઉંડાઈમાં ગયા વગર ખાસ કરીને પ્રાચિન ક્ષત્રિયો અને મધ્યકાલિન રાજપૂતો ના વિષે જે લખ્યુ છે. તે ખરેખર ભારતના તમામ ક્ષત્રિયો સાથે અન્યાય કરતા છે. આ ઇતિહાસકારો કેજેઓ કાંતો બિન ભારતીયો હતા .કે કાંતો બીન ક્ષત્રિયો હતા. તેઓએ સમગ્ર ક્ષત્રિય જાતિને જુદા જુદા સમુહોમાં વિભાજીત કરી નાખ્યા. મોંગલ સામ્રાજ્યના સમયમાં મોગલોએ ચતુરાઇ નો ઉપયોગ કરીને સૌથી પહેલાં લડાયક અને ઝનૂની એવી ક્ષત્રિય જાતિને વટલાવવા લાગ્યા. જેમાં કેટલાય ક્ષત્રિયો એ મુસ્લીમ ધર્મ અંગીકાર કર્યો .તેમજ કેટલાકે મોગલોની તાબેદારી સ્વીકારી.અને કેટલાક ક્ષત્રિયો ખંડણીયા થઈ ગયા. આમ આ રીતે ક્ષત્રિય જાતિને અલગ થલગ પાડી દીધી. કારણ કે પરદેશી આક્રમણકારો એ વાતથી વાકેફ હતા કે , ભારતમાં જો કોઇ સૌથી વધારે લડાયક અને ઝનૂની કોમ હોયતો તે ક્ષત્રિયો કે રાજપુતો છે. જે ક્ષત્રિયો મુસ્લિમ સાશકોના પ્રસંશકો હતા તે બાકીના ક્ષત્રિયોને નીચા ગણી તેમને હડધુત કરવા લાગ્યા. અને પોતાને ઉંચા ગણવા લાગ્યા. ત્યારબાદ ભારતમાં પરદેશીઓ તરીકે ગોરા લોકો (અંગ્રેજો) એ પોતાને સત્તા જમાવવા ક્ષત્રિયો કે રાજપુત રાજાઓને પોતાના તાબે કરી ક્ષત્રિયોમાં ‘ભાગલા પાડોને રાજ કરો”ની નીતિ સમગ્ર ક્ષત્રિય જાતિને વેર વિખેર કરીને ક્ષત્રિય જાતિ સામે સૌથી મોટો અન્યાય કરવામાં. અને સમગ્ર ક્ષત્રિય જાતિને અલગ અલગ નામો કે અટકોથી વિભાજીત કરી નાખ્યા. મોગલો કે અંગ્રેજોના ત્રાસથી બચવા (તેમજ પોતાના પરેવારને કે કુટુંબને ) કે બચાવા સમગ્ર મુળ નિવાસી ક્ષત્રિય જાતિએ પોતાના નામ કે અટક બદલી નાખ્યા. અને પોતાના પ્રદેશને કાયમને માટે છોડીને સ્થાળાંતર કરી ગયા. જે લોકો પરદેશીઓ કે મોગલો કે અંગ્રેજોના વફાદાર રહ્યા તે પોતાને ઉંચા કહેવરાવે છે. જ્યારે જે ક્ષત્રિયો પોતાના સ્વમાન ખાતર પોતાની મિલ્કતો છોડીને કાયમને માટે બીજે સ્થળે વસ્યા તે ક્ષત્રિયોને પરદેશી આક્રમણકારોના ગુલામો નીચી જાતિના ગણવા લાગ્યા. અને આમ જે ક્ષત્રિય જાતિ જે વિસ્તારમાંથી આવી હતી તે પ્રદેશ કે સ્થળ તેમજ પોતાના વતનના નામોથી ઓળખાવા લાગી. ખાસ કરીને અંગ્રેજોએ આ કોમને જુદા જુદા નામો આપ્યા અને સ્થાનિક શાહુકારો કે ઇતિહાસકારોએ એમાં પુરોપુરો સાથ આપ્યો. આ ક્ષત્રિય જાતિના કેટલાય લોકોએ મોગલો કે અંગ્રેજો સામે પોતાને થયેલા અન્યાય સામે યુદ્ધે ચડેલા. આમ પરદેશી આક્રમણકારોએ સમગ્ર ક્ષત્રિય જાતિને વિભાજીત કરીને ભારત ઉપર શાસન કર્યુ.

અત્યારે સ્વતંત્ર ભારતમાં પણ આજ સિલસિલો ચાલુ રહ્યો છે. હાલમાં પણ સમગ્ર ક્ષત્રિય જાતિને (ખાસ કરીને ગુજરાતમાં રાજપૂત અને ઠાકોર કે દરબાર) અલગ અલગ કરીને વિભાજીત કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં ઠાકોર એ પણ ક્ષત્રિય છે. અને રાજપૂત એ પણ ક્ષત્રિય છે. ક્ષત્રિય એ ઠાકોર હોઇ શકે .ક્ષત્રિય એ રજપૂત પણ હોઇ શેકે .પણ ક્ષત્રિય અન્ય ના હોઇ શકે. પહેલાં ઇતિહાસકારો રાજપૂતોને વિદેશીઓની ઓલાદ કહેતા હતા. ઇતિહાસકારો રાજપૂતોને ક્ષત્રિયો માનવા પણ તૈયાર નહોતા. અને અત્યારે આજ ઇતિહાસકારો ઠાકોરોને ક્ષત્રિય માનવા આનાકાની કરી રહ્યા છે. પણ હવે ઠાકોરો ઠાકોરો નહી પણ ક્ષત્રિય ઠાકોરો તરીકે આવી રહ્યા છે. આ ક્ષત્રિયોના પુર્વજો હજારો વર્ષોથી પોતાનો ઇતિહાસ સાચવીની બેઠા છે. આ ક્ષત્રિયો જમીનદારો હતા અને રહેશે. આ ક્ષત્રિયો સામંતો હતા અને રહેશે. આ ક્ષત્રિયો દરબારો હતા અને છે. આ ક્ષત્રિયો રજપુત છે અને રહેશે. આ ક્ષત્રિયો સાહસિક, લડાયક, ઝનુની, પ્રામાણિક, મહેનતુ અને ખમીરવંન્તા અને ખાનદાની છે અને કાયમ રહેશે. હવે ક્ષત્રિયો પોતાનો ઇતિહાસ પોતે લખશે.આ છે પાલવી દરબારો-પાલવી ઠાકોરો-પાલવી રજપુત, જાગિરદારો. પાટણવાડીયા, બારૈયા,ધારાલા આદી…..

પ્રતિષ્ઠા અને આત્મસાતતા પ્રાચિન સમયમાં વર્ણોની વચ્ચે સ્થળાંતરશીલતા હતી, જેમ જેમ લોકો નવીન કૌશલ્ય પ્રાપ્ત કરે અને પોતાની ક્રિયા તેમજ રોજગાર બદલે તેમ તે એક માંથી બીજા વર્ણમાં પ્રવિષ્ટ થતો હતો. પ્રાચિન ભારતની ખાનાબદોશ (વિચરતી) જનજાતિઓમાં સ્થાઇ જાતિપ્રથા ન હતી. તેઓ વ્યક્તિગત યોગ્યતા અને ક્ષમતા મુજબ શરૂઆતી ભૂમિકા ભજવતા હતા. આ ક્રમમાં જનજાતિને ટકાવી રાખવી તેજ મુખ્ય જરૂરીયાત રહેતી. જનજાતિનાં શક્તિશાળી લોકો યોદ્ધાઓ બનતા હતા અને સમાજમાં ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત કરતા, કારણકે તે સમયમાં જનજાતિનાં બચાવ માટે તેઓ વધુ મહત્વનાં હતા. જ્યારે જનજાતિઓ ખેતિકામથી વધુ પરીચિત થતી ગઇ તેમ વધુ સમૃદ્ધ અને સ્થિર થઇ. આ બેઠાડું અને નિરાંતની જીવનશૈલીમાં લોકોનું લક્ષ સમૃદ્ધિપ્રાપ્તી અને જીવનનો અર્થ શોધવો તે તરફ વધુ વળ્યું. હવે પૂજારીવર્ગ સમાજમાં આગળપડતો ગણાવા લાગ્યો, કારણકે તેઓ આધ્યાત્મિક મુક્તિની ખાત્રી આપનાર હતા. આણે સમાજ માટે વધુ કઠોર સામાજીક વ્યવસ્થા રચવાનું નેતૃત્વ કર્યું, જ્યાં વ્યક્તિની સ્થિતિ તેની ક્ષમતા કરતાં વધુ તેના જન્મ દ્વારા નક્કિ થતી હતી. તે પછી, જેઓ વધુ શક્તિશાળી વર્ગોમાં હતાં તેમણે આ વર્ણવ્યવસ્થાને વધુ શક્તિશાળી બનાવી.

ઘણા ઔતિહાસિક રાજકર્તાઓ અન્ય વર્ણમાંથી આવેલા છે, અથવા અહિન્દુ વિદેશી આક્રમણકારોમાંથી ઉતરી આવેલા છે, અને તેમને કાંતો ક્ષત્રિય મોભો પ્રદાન કરાયો અથવા તેઓએ પોતાને ભૂતકાલીન ક્ષત્રિય રાજ્યકર્તાઓ સાથે જોડતા કાલ્પનિક કૌટુંબિક ઇતિહાસો બનાવ્યા. ઉદાહરણ તરીકે, શક, યવન, કમ્બોજ, પહેલવિ, પરદા વગેરે, જેઓ ઉત્તરપશ્ચિમિ વિદેશી આક્રાંતાઓ હતા, પરંતુ તેઓ ભારતીય સમાજમાં ક્ષત્રિયો તરીકે ભળી ગયા.

રાજા રજવાડા ના લશ્કરમાં વર્ષો સુધી પોતાના પરીવારની પરવા કર્યા વિના કામ કરવાને કારણે આ કોમ પોતાને એક શૂરવીર યોદ્ધા તરીકે ઓળખાવી શકી પણ પોતાની જાતિને કે સંતાનોને સાક્ષર બનાવી શકી નહી. તેમજ વર્ષો સુધી આ કોમ એક શૂરવીર તરીકે બીજાઓના રક્ષણ માટે પોતાના બલિદાનો આપી દીધા .પણ પણ પોતાના ત્યાગની અને સમર્પણની ભાવનાને આ સમગ્ર કોમ પછાત અને અભણ રહી ગઈ . પોતાની ઓછી જમીન , સાધન સામગ્રીનો અભાવ, અજ્ઞાન, વ્યસન અને ખોટા ખર્ચાઓ તેમજ કુરીવાજોને કારણે આર્થિક તથા સામાજિક રીતે ઘસાતી ગઈ. શેઠ શાહુકારો અને જમીનદારના દેવામાં ડૂબી ગઈ. સ્વભાવે સાહસિક અને લડાયક એવી આ ક્ષત્રિય જાતિ અગાઉ પ્રતિષ્ઠા અને આદર ધરાવતી હતી .તેથી આ સમગ્ર જાતિ ઉપર આવી પડેલી કરુણ પરિસ્થિતિમાં તેમાંના કેટલાક સ્વમાની લોકો ઝનૂને ચડ્યા અને બહારવટે નિકળ્યા. પ્રામાણિક , મહેનતુ અને ખમીરવંતી આ પ્રજા ઉપર જુલમ બીન ક્ષત્રિય હોય તેવા ઇતિહાસકારો અને પોતાને મોટા દેખાવાનો આડંબર કરતા પોતાના જ બન્ધુઓએ કર્યો. મોગલ સામ્રાજ્ય તેમજ અંગ્રેજો કે બીન ક્ષત્રિય ઇતિહાસકારો એ આ સમગ્ર પ્રજાને જુદા જુદા નામ આપ્યા અને ગુલામ પણ બાનાવ્યા. કારણ કે તે વખતે આ સમગ્ર કોમ પોતાની અજ્ઞાનતાના કારણે પોતાના વંશ કે કુળને આગળ ધરી ઉંચ નીચના ભેદભાવમાં માહલતી હતી. પ્રામાણિક, મહેનતુ અને ખમીરવંતી આ પ્રજા અંગ્રેજ લેખકોએ કે બીન ક્ષત્રિય હોય તેવા ઇતિહાસકરોએ જુદા જુદા નામથી સંબોધવા લાગી. જેમાં આ ઇતિહાસકરોએ સમગ્ર કોમ ને પાલવી દરબાર પાલવી-ઠાકોર-પાલવી રજપુત, બારૈયા,પાટણવાડીયા, ધારાળા તરીકે ઉપમા આપી. આમ આ ક્ષત્રિય જાતિને ઇતિહાસકારોએ નીચી બતાવવાની ચેષ્ઠા કરી છે. જે વિષે આ સમગ્ર ક્ષત્રિય જાતિના સમુહો હજુ સુધી અજાણ છે. જેથી જુદા જુદા વિસ્તારોમાં આ સમગ્ર ક્ષત્રિય જાતિ અલગ અલગ સમુહોના નામથી ઓળખાય છે. પરંતુ વાસ્તવમાં આ સમગ્ર જાતિ એ આગળ કહી ગયા તેમ સ્વભાવે સાહસિક અને લડાયક એવી આ ક્ષત્રિય જાતિ અગાઉ પ્રતિષ્ઠા અને આદર ધરાવતી હતી. તે પોતાના સામાજીક શૈક્ષણિક અને આર્થિક પછાતપણાને કારણે વિસરી ગઈ છે.

ક્ષત્રિય ઠાકોર

આ પછાતવર્ગના આ ક્ષત્રિય ઠાકોર કે પછાત ક્ષત્રિયો કે જેઓ સમગ્ર ભારતમાં ઉપર જણાવ્યા મુજબ જુદા જુદા નામોથી ઓળખાય છે અને ગુજરાતમાં આ સમગ્ર ક્ષત્રિય રજપુત જાતિ, કોઇ ઉત્તર ગુજરાતમાં ઠાકોર કે દરબાર તરીકે, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રજપુત ,પાટણવાડીયા કે બારૈયા તરીકે ઓળખાય છે. આ બહુવિધ ક્ષત્રિય સમુહો વિવિધ અટકો પણ ધરાવે છે. જેમકે પરમાર, સોઢા પરમાર, સોલંકી, ચૌહાણ, ડાભી, રાઠોડ, પઢિયાર, ઝાલા, મકવાણા, વાઘેલા, ચાવડા વિગેરે. ઠાકોર ક્ષત્રિય પણ હોઇ શકે અને ક્ષત્રિય કે રજપુત ઠાકોર પણ હોઇ શકે.

“આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું,
તેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે.”

તમારું અમૂલ્ય દાન આપવા માટે બાજુમાં આપેલા બટન ઉપર ક્લિક કરો.

આપેલું દાન Income Tax માં 80G અન્વયે બાદ મળવાને પાત્ર છે.

 
 
 

પ્રોમોશનલ જાહેરાતો

તમારા વ્યવસાય કે કોઈ અન્ય જાહેરાતો અમારી વેબસાઈટ પર પ્રદર્શિત કરવા માટે અમારો સંપર્ક કરો.

તમારી એડ અમારી વેબસાઈટ ઉપર પ્રદર્શિત કરવા માટેના ભાવ

1 મહિના માટે ₹500, 6 મહિના માટે ₹1500, 1 વર્ષ માટે ₹3000, 3 વર્ષ માટે ₹5000, 5 વર્ષ માટે ₹7000

પ્રોમોશનલ જાહેરાતો

તમારા વ્યવસાય કે કોઈ અન્ય જાહેરાતો અમારી વેબસાઈટ પર પ્રદર્શિત કરવા માટે અમારો સંપર્ક કરો.

તમારી જાહેરાત અમારી વેબસાઈટ ઉપર પ્રદર્શિત કરવા માટેના ભાવ

 
 
 

1 મહિના માટે ₹500


6 મહિના માટે ₹700


1 વર્ષ માટે ₹1000

 
 

2 વર્ષ માટે ₹1800


3 વર્ષ માટે ₹2500

 
 

તમારી જાહેરાત માટેના ફોટાનું કદ 748*500px નું આપવું.

 
 

જોડાઓ અમારી મેટ્રિમોનિયલ સેવામાં

હમણાં SCVRSમાં જોડાઓ અને તમારા જીવન સાથીને શોધો!