શક્તિસિંહ એ ચંદ્રકિશોર ભવન રાજપૂત સમાજના માટે ૧૦૮ તરીકે જાણે છે.એમની પાસે સમાજનો કોઈ હોદ્દો ન હતો છતાં પણએમણે બાંધકામ અને દાન ઉઘરાવવાની કાર્યવાહીમાં પોતાની મહત્તમ શક્તિનો વિનિયોગા કર્યા એટલુજ નહિ.પણ એમને અન્ય કોઈ પણ જવાબદારી સોંપાય તો એમની પ્રથમ પ્રાયોરીટી એમના ધંધા કરતા સમાજનું કામ બની જતી.સમાજના નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય એના ઉકેલમાં હંમેશા સિંહ ફાળો રહેતો.૩૦ વર્ષના આ યુવાને ખરેખર એટલું સરાહનીય કાર્ય કર્યું કે એમના પ્રયત્નોને બિરદાવ્યા માટે શબ્દો નથી.એમણે તન-મન અને ધન બધુજ સમાજને આપ્યું ધન્ય છે એમના માતા-પિતાને સમાજને આવા થોડા શક્તિસિંહ મળે તો ખરેખરએ સમાજ ધન્યના અનુભવે સમાજના દરેક યુવાનો માટે એઓ આવનારા સમયમાં રોલ મોડેલ રેહશે.આજે પણ અડધી રાતે સમાજના કામ માટે ખડેપગે તૈયાર હોય છે.એમણે કદી પણ કાર્યને એમના કાર્યની સહાય ના થાય એવું ઈચ્છ્યું નથી.ક્રેડિટ લેવાની વાત એમના લોહીમાં જ નથી.એઓ કહે છે કે સમાજનું ઋણ કદી પણ ઉતારી શકાતું નથી એ નામે હું જે કામ કરું છું.તે ઋણ અદા કરવાનો પ્રયત્ન સમજુ છું,ધન્ય છે શક્તિસિંહને.